IPO રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, આજથી T+3 નિયમનો અમલ, જાણો ઈન્વેસ્ટોરોને શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-12-01 14:34:22

જો તમે શેર બજારમાં પૈસા લગાવો છે કે પછી આઈપીઓમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સેબી દ્વારા આઈપીઓમાં પૈસા લગાવવાનો નવો નિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે શેર એલોટમેન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઓછામાં ઓછા સમયમાં જ શેર ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. આઈપીઓની લિસ્ટીગના માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. આઈપીઓના બંધ થવા એલોટમેન્ટ થવાના તુરંત થયા બાદ જ લિસ્ટિંગ થશે. સેબીએ ઓગસ્ટ દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે આઈપીઓની લિસ્ટિંગ ડેડલાઈન 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવશે.  


રોકાણકારોને મોટી રાહત


સેબીઓ આઈપીઓ લિસ્ટિંગના દિવસોમાં ઘટડો કરતા રોકાણકારોને મોટો લાભ થયો છે. તેમના પૈસા હવે લાંબા સમય સુધી લોક-ઈન નહીં રહે. આ નિયમ લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક તમામ કંપનીઓને લાગુ પડે છે. રોકાણકારોના ડિમેટ ખાતામાં જો શેર નહીં આવે તો તેમને તરત જ રિફંડ મળી જશે, પહેલા તો રિફંડ મેળવવા માટે 4 દિવસ સુધી રાહ જોવી પડતી નથી. આ સાથે જ 1 ડિસેમ્બર 2023 બાદ  તમામ કંપનીઓ માટે આ નિયમ અનિવાર્યપણે લાગું કરી દેવામાં આવશે.


સેબીએ શું કહ્યું? 


સેબીએ આ પગલું એંકર ઈન્વેસ્ટરો, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટો, બ્રોકર, બેંકો સહિત તમામ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉઠાવ્યું છે. ટેસ્ટીંગ બાદ યોગ્ય જણાતા તેની પુષ્ટી કરવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ પગલાથી એ નક્કી થશે કે બેંકો, સ્ટોક એક્સચેન્જો, બ્રોકરો જેવાના સંસાધનોનો ઉપયોગ ઘટશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.