GSRTC ફિક્સ -પેના કર્મચારીઓ માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે આપી પગાર વધારો કરવાની મંજૂરી, Yuvrajsinhએ પ્રશ્ન પૂછ્યું કે ક્યારે મળશે પગાર વધારાનો લાભ?


  • Published By :
  • Published Date : 2023-12-29 10:00:10

GSRTCના ફિક્સ પેના કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારવામાં આવે. 30 ટકા પગાર વધારવાની વાત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી. પોસ્ટ કાર્ડ પણ લખ્યા. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે જે નાણા વિભાગે 30 ટકાનો પગાર વધારો કરવા અંગેની મંજૂરી આપી દીધી છે. ભલે પગાર વધારાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ પગાર વધારો ક્યારે કરાશે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. મળતી માહિતી અનુસાર આ અંગેનો કોઈ ઓફિસિયલ લેટર બહાર નથી પાડવામાં આવ્યો. 

પોસ્ટ કાર્ડ લખી સરકારને પોતાનું વચન કરાવ્યું યાદ!

થોડા સમયથી એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા. કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે. અનેક રજૂઆતો કરી, માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. તે બાદ તેમની માગણી સ્વીકારાઈ. પરંતુ સમય વીત્યા બાદ પણ આ અંગેની કોઈ અપડેટ સામે ન આવી હતી જેને લઈ કર્મચારીઓ માની રહ્યા હતા કે તેમને લોલીપોપ તો નથી આપવામાં આવીને? કોઈ અપડેટ સામે ન આવતા તેમણે પોસ્ટ કાર્ડ લખી સરકારને તેમનું વચન ફરી-યાદ કરાવ્યું હતું. 


મંજૂરી તો આપી પરંતુ પગાર વધારો ક્યારે કરાશે તે એક પ્રશ્ન 

ત્યારે એવી માહિતી સામે આવી છે કે નાણા વિભાગ દ્વારા આને લઈ મંજૂરી આપવામાં આવી ગઈ છે. 30 ટકા પગાર વધારા અંગેની મંજૂરી આપવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ પગાર વધારો ક્યારે મળશે? 2 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી કોઈ પગાર વધારો કરવામાં નથી આવ્યો. પગાર વધારાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ પગાર વધારો ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. આ અંગેનો ઓફિશિયલ લેટર જાહેર નથી કરવામાં આવ્યો. ત્યારે જોવું રહ્યું કે આ પગાર વધારો ક્યારે કરવામાં આવે છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.