પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર! Uttarayanમાં આટલી ઝડપે ફૂંકાશે પવન, હવામાન વિભાગે આગાહી કરતા જાણાવ્યું..


  • Published By :
  • Published Date : 2024-01-13 09:36:57

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી પવન નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી રાજ્યના અનેક ભાગો માટે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યાં. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, પવન ફૂંકાશે જેને કારણે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને વાંધો નહીં આવે. વરસાદ ઉત્તરાયણની મજા નહીં બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍

ઉત્તરાયણ દરમિયાન વાતાવરણ રહેશે સાનુકુળ 

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે જોઈએ તેટલો પવન નથી હોતો. પતંગ ચગાવવામાં મજા આવે તેટલો પવન પણન હોવાને કારણે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. એવું પણ અનુભવાયું છે કે ઉત્તરાયણના પહેલા સારો પવન હોય છે, ઉત્તરાયણ બાદ સારો પવન હોય છે પરંતુ ઉત્તરાયણ દરમિયાન સારો પવન નથી હોતો, એવો પવન નથી હોતો જે પતંગ ચગાવવા માટે જોઈ તો હોય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Uttarayan 2023: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખો આ  બાબતો, પક્ષીનો જીવ પણ બચાવીએ - Gujarati News | Uttarayan 2023 Keep these  things in mind while flying kites ...


15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના 

ઠંડીને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ આવવાની સંભાવના નહીંવત જેવી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડો પવન વહેશે. આગામી દિવસોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવાયું છે કે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે. 

Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું  તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો દર વખતની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 06.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, દમણનું તાપમાન 21.0 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 12.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4, રાજકોટનું તાપમાન 13.0, વેરાવળનું તાપમાન 21.1 નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આવી જ આગાહી કરવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.