આવતીકાલે ગોંડલ બંધનું એલાન, રાદડિયાનું સમર્થન!


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:50:32

રાજ્યમાં સતત વધતી ગુનાખોરીની ઘટનાઓ સવાલ પુછે છે શાંતિ , સલામતી અને સુરક્ષા ક્યાં છે. પણ સતત ઉઠતા સવાલોની વચ્ચે આવી ઘટનાઓનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વાત ગોંડલની કરીએ જ્યાં કોલેજ ચોકમાં હનુમાન મંદિર પાસે એક સગીરને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. મારતી વખતે એ એવું કહી રહ્યાં હતા સગીરના પિતાને કે મારા દિકરાને એક મહિનાથી હેરાન કરે છે એટલે માર માર્યો, અત્યારે તો બચી ગયો પણ હવે સામે આવશે તો જાનથી મારી નાંખીશું. જે સગીરને માર મારવામાં આવ્યો એ પાટીદાર સમાજમાંથી આવતો હતો. સગીરના માતા-પિતાને પણ માર્યું હતું. બીજા દિવસે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું અને સમાજ આખો ભેગો થઈ ગયો. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પાટીદાર સમાજે આવતીકાલે એટલે કે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલમાં સંગ્રામસિંહ હાઈસ્કુલના મેદાનમાં ત્રણ શખ્સોએ એક સીગર યુવકને માર માર્યો. ભગવતપરામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા સગીર યુવકને ઢોર માર માર્યો એટલુ જ નહીં તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્વરુપે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. જયેશ રાદડિયા, ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના ભાજપના આગેવાનોએ એ સગીરની મુલાકાત પણ લીધી હતી અને બંધને સમર્થન પણ આપ્યું છે. 


ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.


તો ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવતા સમાજ હવે મેદાને આવ્યો છે. સામે પક્ષે દર્શન અને મયુરસિંહ ઝાલા જે આરોપીઓ હતા તે ઝડપાય ગયા છે . આરોપી મયુરસિંહના કહેવા પ્રમાણે ભોગ બનનાર સગીર મયુરસિંહના દિકરાને એક મહિનાથી હેરાન કરતો હતો એટલે માર માર્યો છે.તો ક્રિકેટનું કોચિંગ આપતો હજુ એક શખ્સ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો છે અને હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.