'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે, સલમાન ખાનને પણ મારીશું: ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર


  • Published By :
  • Published Date : 2023-06-26 22:30:39

સલમાન ખાનના જીવને જોખમ છે, દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારએ ફરી એક વખત ધમકી સલમાન ખાનને મોતની ધમકી આપી છે. ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સલમાનને ધમકી આપી હતી. ગોલ્ડીએ આ ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- 'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે. આ સાથે તેણે આનું કારણ પણ જણાવ્યું. આ સિવાય તેણે કહ્યું કે સલમાન ખાન પણ અમારા નિશાના પર છે, જો અમને તક મળશે તો અમે તેને ચોક્કસ મારીશું. ગેંગસ્ટર ગોલ્ડીએ સ્પષ્ટ કર્યું કે તે ખાલિસ્તાનને સમર્થન નથી કરતો. તેણે એમ પણ કહ્યું કે તેની આઈએસઆઈ અને ખાલિસ્તાન સાથે કોઈ મિત્રતા નથી.


સિદ્ધુ મુસેવાલાને શા માટે માર્યો?


સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડશે, અમે આપીશું, પરંતુ અમે જે જરૂરી હતું તે કર્યું છે. મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું, 'તે ખૂબ જ ઘમંડી અને બગડેલો હતો. તેની પાસે જરૂર કરતાં વધુ પૈસા હતા. રાજકીય પાવર અને પોલીસનો પાવર તેની પાસે જરૂરિયાત કરતાં વધુ હતો, જેનો તે દુરુપયોગ કરી રહ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, 'તેણે અમારું કેટલુંક વ્યક્તિગત નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.


'સલમાનને ચોક્કસ મારીશું'


અભિનેતા સલમાન ખાન અંગે, ગોલ્ડી બ્રારે કહ્યું, 'અમે તેને મારી નાખીશું, ચોક્કસ મારીશું. ભાઈ સાહેબ (લૉરેન્સ)એ તેને માફી માંગવા કહ્યું હતું, પરંતુ તેણે માફી નહોતી. જેમ કે અમે અગાઉ પણ કહ્યું છે. વાત માત્ર સલમાન ખાનની જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.


દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધનો કર્યો ઈનકાર


દાઉદ ઈબ્રાહિમ સાથે સાઠગાઠ અંગે ગોલ્ડી બ્રારે કહ્યું કે ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે અમે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાણ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી. તેણે કહ્યું કે તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હરવિંદર સિંહ રિંડા સાથે વાત કરતો હતો. તેણે જ સિદ્ધુ મૂઝવાલાને સમાધાન કરાવ્યું હતું. તેણે કહ્યું કે તે ડ્રગ્સનો કારોબાર કરતો નથી પરંતુ તેણે પાકિસ્તાન કે હથિયારોની દાણચોરીનો ઇનકાર કર્યો નથી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!