'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે, સલમાન ખાનને પણ મારીશું: ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર


  • Published By :
  • Published Date : 2023-06-26 22:30:39

સલમાન ખાનના જીવને જોખમ છે, દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારએ ફરી એક વખત ધમકી સલમાન ખાનને મોતની ધમકી આપી છે. ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સલમાનને ધમકી આપી હતી. ગોલ્ડીએ આ ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- 'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે. આ સાથે તેણે આનું કારણ પણ જણાવ્યું. આ સિવાય તેણે કહ્યું કે સલમાન ખાન પણ અમારા નિશાના પર છે, જો અમને તક મળશે તો અમે તેને ચોક્કસ મારીશું. ગેંગસ્ટર ગોલ્ડીએ સ્પષ્ટ કર્યું કે તે ખાલિસ્તાનને સમર્થન નથી કરતો. તેણે એમ પણ કહ્યું કે તેની આઈએસઆઈ અને ખાલિસ્તાન સાથે કોઈ મિત્રતા નથી.


સિદ્ધુ મુસેવાલાને શા માટે માર્યો?


સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડશે, અમે આપીશું, પરંતુ અમે જે જરૂરી હતું તે કર્યું છે. મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું, 'તે ખૂબ જ ઘમંડી અને બગડેલો હતો. તેની પાસે જરૂર કરતાં વધુ પૈસા હતા. રાજકીય પાવર અને પોલીસનો પાવર તેની પાસે જરૂરિયાત કરતાં વધુ હતો, જેનો તે દુરુપયોગ કરી રહ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, 'તેણે અમારું કેટલુંક વ્યક્તિગત નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.


'સલમાનને ચોક્કસ મારીશું'


અભિનેતા સલમાન ખાન અંગે, ગોલ્ડી બ્રારે કહ્યું, 'અમે તેને મારી નાખીશું, ચોક્કસ મારીશું. ભાઈ સાહેબ (લૉરેન્સ)એ તેને માફી માંગવા કહ્યું હતું, પરંતુ તેણે માફી નહોતી. જેમ કે અમે અગાઉ પણ કહ્યું છે. વાત માત્ર સલમાન ખાનની જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.


દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધનો કર્યો ઈનકાર


દાઉદ ઈબ્રાહિમ સાથે સાઠગાઠ અંગે ગોલ્ડી બ્રારે કહ્યું કે ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે અમે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાણ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી. તેણે કહ્યું કે તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હરવિંદર સિંહ રિંડા સાથે વાત કરતો હતો. તેણે જ સિદ્ધુ મૂઝવાલાને સમાધાન કરાવ્યું હતું. તેણે કહ્યું કે તે ડ્રગ્સનો કારોબાર કરતો નથી પરંતુ તેણે પાકિસ્તાન કે હથિયારોની દાણચોરીનો ઇનકાર કર્યો નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.