ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને બંધ કરવાનો આદેશ, શા માટે તેને કહેવાય છે ગોલ્ડન બ્રિજ? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-13 20:29:25

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નર્મદા નદી પર બાંધવામાં આવેલો 143 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ પર જવા પ્રતિબંધ લગાવી દીધો છે. લોકો હવે આ બ્રિજનો ઉપયોગ અવરજવર માટે નહીં કરી શકે. લોકોને નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.  દેશના સૌથી જોખમી 7 બ્રિજમાં ગોલ્ડન બ્રિજને સમાવેશ કરાયા બાદ ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગ રૂપે બ્રિજને વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજનો થશે ઉપયોગ


ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને લઈને કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામામાં કહેવાયું છે કે આ બ્રિજની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. બ્રિજને સમાંતર નવા ફોર લેન નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી આપવામાં આવતા તેને 2021થી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. વર્ષ 2015-16 માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા થતા 12 જુલાઈ 2021 થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થતા હતા.


શું છે બ્રિજનો ઈતિહાસ?


બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા, પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું. તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા. આ વિષય પર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સર હોકશૉ જોકે નાસીપાસ થયા નહોતા અને એમણે 1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ તેમણે પૂરો કરાવ્યો હતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો અને એ માટે 45.65 લાખનો ખર્ચ થયો હતો. ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો. આમ  તો આ પૂલનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો. તે સમયે લોકો એવું કહેતા હતા કે ‘ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’ 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!