59 લોકોના મોત માટે જવાબદાર ગોધરાકાંડના પથ્થરબાજોને મુક્ત ન કરી શકાય: ગુજરાત સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-03 15:34:07

ગોધરાકાંડ માટે દોષિત ઠરેલા 15 પથ્થરબાજોને જેલ મુક્ત કરવાનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં 59 લોકોના મોત થયા હતા. આ નિર્દોષ લોકો ટ્રેનની બોગીઓમાંથી બહાર નિકળવા માંગતા હતા પણ તેઓ પથ્થરમારાના કારણે બહાર નિકળી શક્યા ન હતા.


સમગ્ર મામલો શું હતો


પથ્થરબાજો વતી સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડમાં 15 દોષિતોને મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારે આ માત્ર પથ્થરમારો કરવાનો મામલો નથી પણ પથ્થરમારાના કારણે 59 પીડિત સળગતી બોગીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.તેમણે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધમાં કહ્યું કે પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે. 


ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓએ જેલમાં લાંબો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડવામાં આવી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષિતની ભૂમિકાની તપાસ કરશે કે શું આમાંથી કેટલાક લોકોને ખરેખર જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અંગે 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.