ગોધરા હત્યાકાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ઈદ પર મુક્ત કરવાની કરી હતી અપીલ


  • Published By :
  • Published Date : 2023-04-21 16:01:41

ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનાર 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ તમામ દોષિતોને 17 થી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે અન્ય ચારેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. 


ઈદને ધ્યાનમાં રાખી જામીન મંજુર


સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ગોધરા હત્યાકાંડ કેસના દોષિતોની જામીન મામલે ચુકાદો આપ્યો હતો. જામીન મેળવનાર 8 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.કોર્ટે કહ્યું કે, જામીનની શરતો પૂરી કર્યા બાદ જ અન્યોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઈદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે કોને જામીન આપ્યા?


સુપ્રીમ કોર્ટે જે 8 દોષિતોના જામીન મંજુર કર્યા છે, તેમાં અબ્દુલ સતાર ગડી,અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર, રઉફ ઠેસલીનો સમાવેશ થાય છે, જો કે અન્ય 4 લોકો મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા અને શોકત બદામના જામીન નામંજુર કરવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.