ધનતેરસના દિવસે થાય છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની પૂજા, આ સ્તોત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા


  • Published By :
  • Published Date : 2024-10-29 18:18:20

દિવાળીના દિવસો દરમિયાન ત્રણ મહા શક્તિઓની આરાધના થતી હોય છે... મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી.. મહાલક્ષ્મીની ઉપાસના કરવાનો પર્વ એટલે ધનતેરસ.. ધનતેરસના દિવસે લોકો પોતાના ધનની પૂજા કરતા હોય છે... તે સિવાય ઘરમાં રહેલા સોનાની, દાગીનાની પૂજા કરવામાં આવે છે.. અનેક લોકો ધનને ધોવે છે... ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી.     

Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ  સૌથી પ્રિય પ્રસાદ ! - Gujarati News | In order to get the immense grace of  mother Lakshmi, offer this


લક્ષ્મીજીની સાથે આયુર્વેદના દેવ ધનવંતરીની પણ થાય છે પૂજા 

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા...  અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી.. આજના દિવસે ના માત્ર માતા લક્ષ્મીની પરંતુ ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે.. આયુર્વેદના દેવ ભગવાન ધનવંતરી પણ ઘટ સાથે ઉદભવ્યા હતા... 

Dhanvantari Mantra – Wiral Feed


ધનતેરસના દિવસે થાય છે ધનની પૂજા

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કેમ પૂજા કરવામાં આવે છે તેની વાત કરીએ તો માતા લક્ષ્મી ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સારા ધનની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિ વધે છે.. ધનતેરસના દિવસે કયા મંત્રથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.. આ દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.. તે સિવાય લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ ... તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્... માતા લક્ષ્મીની કૃપા આપ પર આપના પરિવાર પર સદૈવ રહે તેવી પ્રાર્થના.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે