આફત ટાળવા લેવાયો ભગવાનનો આશરો! દ્વારકાધીશ મંદિરમાં વાવાઝોડાને કારણે કરાઈ વિશેષ પૂજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-15 16:42:35

દ્વારકા પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતથી માત્ર થોડા કિલોમીટર દૂર જ વાવાઝોડું છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક મંદિરોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આફત ટળે તે માટે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. વાવાઝોડા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે   


દ્વારકા મંદિરમાં કરાઈ વિશેષ પૂજા!

સંકટ સમયે ભગવાન સૌથી પહેલા યાદ આવતા હોય છે. સુખ સમયે આપણે ભગવાનને યાદ નથી કરતા પરંતુ જ્યારે આપણી પર વિપત્તિ આવતી હોય છે ત્યારે ભગવાનને આપણે યાદ કરતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ફરી રહ્યું છે. રાતના સમયે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર પડવાની છે. જેને કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાત પર આવેલું સંકટ ટળી જાય તે માટે પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિરમાં વિશેષ પૂજા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. 


સુરક્ષાને ધ્યાનમાં રાખી નહીં ચઢાવવામાં આવે ધજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે 17 જૂન સુધી દ્વારકા મંદિર પર ધજા નહીં ફરકાવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તે સિવાય ભારે પવન ફૂંકાવવાને કારણે મંદિરની ધજા પણ ફાટી ગઈ હતી જેને લઈ ભક્તો કહેતા હતા કે ભગવાને આફત પોતાના પર લઈ લીધી છે. મહત્વનું છે કે અનેક નેતાઓ પણ ભગવાનના શરણે જતા દેખાઈ રહ્યા છે. મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તે સિવાય હર્ષ સંઘવીએ પણ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!