Go Firstએ નાદારી જાહેર કરતા એરલાઈનના 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:40:15

દેશની અગ્રણી એરલાઈન ગો ફર્સ્ટે નાદારી જાહેર કરતા તેના લગભગ 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે. આ દરમિયાન ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની મેનેજમેન્ટ સંવેદનશીલ છે.


નાદારીની અરજી પર 4 મેએ સુનાવણી 


જો કે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (NCLT) ગો ફર્સ્ટની નાદારીને લગતી અરજી પર   4 મેના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ સાથે એરલાઈને 3થી 5 મે સુધી પોતાની ઉડાનો પણ રદ્દ કરી દીધી છે.


કંપનીના CEOએ કર્મચારીઓને શું કહ્યું?


ગો ફર્સ્ટ એરલાઈનના CEO કૌશિક ખોનાએ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે કંપની આ સ્થિતીએ પહોંચી તેનું મુખ્ય કારણ પ્રેટ એન્ડ વ્હિટનીનું (P&W) એન્જિન છે. આ એન્જિન વારંવાર ખરાબ થવાના કારણે એરલાઈનને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે વિમાનો લીઝ પર આપતી કંપનીઓની કડક વલણ અંગે પણ કર્મચારીઓને જણાવતા તેમણે કહ્યું કે આ કંપનીઓ વિમાનો લીઝ પર આપવાનું બંધ કરવાની  વારંવાર ધમકી આપી રહી છે. કંપની પાસે વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતીમાં કંપની લિઝની રકમની ચૂંકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જો કે  તેમણે કર્મચારીઓને હૈયાધારણા આપતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવધાની અને ચિંતા સાથે પરિસ્થિતીને સંભાળવાના પ્રયાસો કરી રહ્યા છિએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.