Go Firstએ નાદારી જાહેર કરતા એરલાઈનના 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:40:15

દેશની અગ્રણી એરલાઈન ગો ફર્સ્ટે નાદારી જાહેર કરતા તેના લગભગ 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે. આ દરમિયાન ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની મેનેજમેન્ટ સંવેદનશીલ છે.


નાદારીની અરજી પર 4 મેએ સુનાવણી 


જો કે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (NCLT) ગો ફર્સ્ટની નાદારીને લગતી અરજી પર   4 મેના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ સાથે એરલાઈને 3થી 5 મે સુધી પોતાની ઉડાનો પણ રદ્દ કરી દીધી છે.


કંપનીના CEOએ કર્મચારીઓને શું કહ્યું?


ગો ફર્સ્ટ એરલાઈનના CEO કૌશિક ખોનાએ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે કંપની આ સ્થિતીએ પહોંચી તેનું મુખ્ય કારણ પ્રેટ એન્ડ વ્હિટનીનું (P&W) એન્જિન છે. આ એન્જિન વારંવાર ખરાબ થવાના કારણે એરલાઈનને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે વિમાનો લીઝ પર આપતી કંપનીઓની કડક વલણ અંગે પણ કર્મચારીઓને જણાવતા તેમણે કહ્યું કે આ કંપનીઓ વિમાનો લીઝ પર આપવાનું બંધ કરવાની  વારંવાર ધમકી આપી રહી છે. કંપની પાસે વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતીમાં કંપની લિઝની રકમની ચૂંકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જો કે  તેમણે કર્મચારીઓને હૈયાધારણા આપતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવધાની અને ચિંતા સાથે પરિસ્થિતીને સંભાળવાના પ્રયાસો કરી રહ્યા છિએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!