Go First બાદ હવે Spice Jet પણ નાદારીના આરે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-07 13:04:02

છેલ્લા કેટલાક દિવસોથી ભારતનું એવીએશન સેક્ટર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક મંદી અને ફ્યુઅલના ઉંચા ભાવના કારણે Go First બાદ વધુ એક એરલાઈન્સ મુશ્કેલીમાં મુકાઈ છે. હવે  દેશની બીજી મોટી એરલાઇન સ્પાઈસ જેટની સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી થવાની છે. એરલાઈન સ્પાઈસજેટની નાદારી અરજી પર સોમવાર, 8 મેના રોજ સુનાવણી થશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સોમવારે સ્પાઇસ જેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર સુનાવણી કરશે. જોકે, સ્પાઈસજેટ એરલાઈન્સે કહ્યું કે આ સુનાવણીથી તેમની ફ્લાઈટ પર કોઈ અસર થશે નહીં.


સ્પાઇસ જેટની મુશ્કેલી વધી


સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી પણ સોમવારે હાથ ધરવામાં આવનાર છે. સ્પાઇસ જેટની લેણદાર કંપનીએ સ્પાઇસજેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. NCLT સોમવારે આ અંગે સુનાવણી કરશે. એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડ, ઓછી કિંમતની એરલાઇનને ધિરાણ આપતી, એ એરલાઇન સામે NCLT સમક્ષ નાદારીની અરજી દાખલ કરી છે. કંપનીએ આ અરજી 28 એપ્રિલે જ આપી હતી, આ મામલે 8 મેના રોજ સુનાવણી થશે. અગાઉ, Go Firstની માલિકીની કંપની વાડિયા ગ્રૂપે પોતે જ નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. તે જ સમયે, સમાચાર એ પણ આવી રહ્યા છે કે વધુ બે કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પાઇસજેટ સામે અરજી દાખલ કરી છે, જેમાં વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન અને એકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ છે. જ્યારે વિલિસ લીઝે 12 એપ્રિલે અરજી કરી હતી, જ્યારે અકર્સ બિલ્ડવેલ 14 ફેબ્રુઆરીએ અરજી કરી હતી. સ્પાઈસ જેટ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


ફ્લાઈટ્સ પર કોઈ અસર નહીં


નાદારીની આ પ્રક્રિયાને લઈને સ્પાઈસ જેટે કહ્યું છે કે તેની ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. જો કે, અત્યાર સુધી આવું થતું જણાતું નથી. સ્પાઇસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધિરાણકર્તા પાસે હાલમાં એરલાઈનના કાફલામાં કોઈ વિમાન નથી. આવી સ્થિતિમાં, તે ઓપરેશનને અસર કરશે નહીં. તેમણે કહ્યું કે આ ફર્મના તમામ પ્લેન પરત કરી દેવામાં આવ્યા છે. એરલાઈને કહ્યું છે કે કંપનીના કાફલામાં આ પ્રકારનું કોઈ એરક્રાફ્ટ હાજર નથી. તેમણે લોકોને ખાતરી આપી છે કે આ મુદ્દે ફ્લાઇટ સેવા પર કોઈ અસર નહીં થાય. તેઓ પહેલાની જેમ જ સામાન્ય રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.