Go First નાદારીના આરે, એરલાઈન પાસે રોકડ ખતમ, બે દિવસ માટે તમામ ફ્લાઈટ્સ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-05-02 18:43:47

વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First નાદારીના આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. પીટીઆઈએ કંપનીના સીઈઓ કૌશિક ખોનાને ટાંકીને આ માહિતી આપી છે. ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડવા માટે અસમર્થ છે. તેનું કારણ એ છે કે એન્જિન બનાવનારી કંપની Pratt & Whitneyએ તેનો સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.


ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે


એરલાઇન ગો ફર્સ્ટની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે. DGCAએ આની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, કંપની રોકડની તંગીનો સામનો કરી રહી છે. એરલાઈન પાસે રોકડ ખતમ થઈ ગઈ છે. આ કારણે તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના લેણાં ચૂકવવા સક્ષમ નથી. આ કંપનીઓએ તેને તેલ આપવાની ના પાડી દીધી છે. કંપનીએ ઓઈલ કંપનીઓના બાકીના લેણાં પણ ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, જેમણે આગામી બે દિવસ માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


એરલાઇન કેટલી મોટી છે?


GoFirst કંપનીના કાફલામાં 31 માર્ચ સુધીમાં, 30 વિમાનોને ગ્રાઉન્ડેડ હતા. જો આપણે વિમાનોના કુલ કાફલા વિશે વાત કરીએ તો તેની સંખ્યા 61 છે. તેમાંથી 56 A320 Neo અને 5 A320CEO છે. જુલાઈ 2022માં પહેલીવાર આ કંપનીએ સંકટનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે એરક્રાફ્ટ કેન્સલ કરવું પડ્યું હતું. ત્યારથી તેની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે. એરલાઇન મે 2022માં 12.7 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં 9,63,000 મુસાફરોને લઈ જતી કંપની માર્કેટ શેર (બજાર હિસ્સો) 8 ટકા જેટલો ઘટી ગયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.