ગો ફર્સ્ટ એરલાઈન નાદાર થશે, NCLTએ આપી મંજૂરી, 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ


  • Published By :
  • Published Date : 2023-05-10 14:23:02

દેવાળું ફૂંકવાને આરે આવેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની નાદારીની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે કે NCLTએ સ્વિકારી લીધી છે. ગો ફર્સ્ટએ 4 મેના રોજ અરજી કરી હતી. આ જ કારણે એરલાઈને તેની તમામ ફ્લાઈટ 19 મે સુધી કેન્સલ કરી દીધી છે. નાદારીની પ્રક્રિયા અંગે સુનાવણી સરૂ થવાની હોવાથી કંપનીના મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. NCLTએ ગો ફર્સ્ટના સંચાલન માટે માટે અભિલાષ લાલની ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિમણુક કરી છે. હવે ગો ફર્સ્ટના બોર્ડને નિયમિત ખર્ચ માટે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે. 


કર્મચારીઓને મોટી રાહત


NCLTએ કહ્યું છે કે ગો ફર્સ્ટના કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, આ નિર્ણય બાદ સાત હજાર કર્મચારીઓને મોટી રાહત મળી છે. તેમની પર લટકી રહેલી છટણીની તલવાર હાલ તો દુર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપની પર લગભગ 6,521 કરોડ રૂપિયાનું દેવું છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને રિવાઈવલ પ્લાન ને તૈયાર કરવા માટે સમય મળશે. 


મુસાફરોને રિફંડ મળશે?


ગો ફર્સ્ટ એરલાઈનની ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે જે લોકોએ ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરાવી હતી તેમનું રિફંડ પણ અત્યાર સુધી ફસાયેલું છે. ડીજીસીએએ યાત્રિકોના પૈસા વહેલામાં વહેલી  તકે પરત કરવાનો આદેશ આપ્યો છે. પરંતું આ અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના મુસાફરો હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.