ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હાલ પુરતો રદ્દ, શાળાઓને બદલે વિદ્યાર્થીઓને જ મળશે સીધી સહાય


  • Published By :
  • Published Date : 2023-06-06 20:51:03

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટને સરકારે હાલ પુરતો રદ્દ કર્યો છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ બાદ રાજ્ય સરકારે શાળાઓને જ્ઞાનસેતુ માટે બજેટ નહીં ફાલવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સલાહકાર હશમુખ અઢીયાએ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટને મંજુરી આપી નથી. રાજય સરકાર હવે શાળાઓને બદલે  વિદ્યાર્થીઓને જ સીધી આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે સરકારે છેલ્લી ઘડીએ કે જ્યારે શાળાઓનું નવુ સત્ર શરૂ થવાનું છે ત્યારે જ રાજ્ય સરકારે નિર્ણયમાં પલટી મારતા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


જમાવટે પૂછ્યું તો આવો જવાબ મળ્યો 


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે જમાવટે જ્ર્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરી પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચાલુ જ છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ થયો હોવાના સમાચારને તેમણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટમાં થોડો ફેરફાર કરાવમાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધુ શાળાઓનો વિકલ્પ મળે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર એક- બે દિવસમાં જીઆર જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


અસમંજશની સ્થિતી પ્રવર્તી હતી


નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવાનું શરુ પણ કરી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાની જાહેરાત કરાઈ હતી તેનું શું થયું? તેના પર સવાલો ઉઠ્યા હતા. શું આ પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું કે શું? કેમ શૈક્ષણિક સત્ર શરુ થવા છતાં શાળાઓની ફાળવણી થઈ નથી કે કોઈ જાહેરાત થઈ નથી. તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં હતા.


5.24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા


રાજ્યભરમાં ગત એપ્રિલ મહિનામાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ નવું શૈક્ષણિક સત્ર તો શરુ થયું પણ જ્ઞાન સેતુ સ્કૂલને લઈને ડખા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું છે?


સરકારી શાળા તેમજ તેની શિક્ષણ પધ્ધતિમાં સુધારો કરવા, સરકારી સ્કૂલોમાં પણ ખાનગી શાળાઓ જેવું જ શિક્ષણ આપવા રાજ્યમાં 400 જ્ઞાનસેતુ સ્કૂલ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ જ્ઞાનસેતુ સ્કૂલમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા માટે આ વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. રાજ્યના ધોરણ 6થી 12ના આશરે એક લાખ વિદ્યાર્થીઓને આ જ્ઞાનસેતુ ડે સ્કુલમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે તેવો પ્રોજેક્ટ તૈયાર તો કરવામાં આવ્યો છે. આ માટે સરકાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજારની સહાય આપશે.પરંતુ હાલ જ્ઞાનસેતુ સ્કૂલના જાહેરાત નહીં થતાં નવો વિવાદ સર્જાયો છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!