ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું , કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરતા, ભાજપે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-19 16:17:17

ધર્મ, સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાની જાળવણીમાં મહત્વનું પ્રદાન કરનારા ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. જો કે આ જાહેરાત બાદ તેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટી ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાને લઈ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે કહ્યું ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવા અંગે કહ્યું  કે આ તો સાવરકર અને ગોડસેને પુરસ્કૃત કરવા જેવું છે. આ અંગે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ વળતો પ્રહાર કર્યો છે.  તેમણે કહ્યું કે કર્ણાટક ચુંટણીમાં જીત મળતા કોંગ્રેસ ઘમંડમાં આવીને ભારતીય સંસ્કૃતિ પર ખુલ્લા પ્રહારો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યું તેની પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભરપુર પ્રશંસા કરી છે અને પ્રેસના કાર્યને બિરદાવ્યું છે.


સમગ્ર મામલો શું છે?


ગાંધી શાંતિ પુરસ્કાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આદર્શોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વાર્ષિક પુરસ્કાર છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી જુરીની બેઠકમાં સર્વ સંમત્તીથી ગીતા પ્રેસ, ગોરખપુરને શાંતિ પુરસ્કારના રૂપમાં પસંદ કરવામાં આવી છે.


ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ


અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે જ ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપક રાજસ્થાનના ચુરૂના વતની જયદયાલજી (સેઠજી) ગીતા-પાઠ, પ્રવચનોમાં ખુબ જ રૂચી લેતા હતા. વેપારના કામ માટે તેમને અવારનવાર કોલકાતા જવાનું થતું હતું. ત્યાં તે દુકાનમાં પણ સત્સંગ કર્યા કરતા હતાં. ધીરે-ધીરે સત્સંગીઓની સંખ્યા એટલી વધી ગઈ કે જગ્યા પણ નાની પડવા લાગી. ત્યાર બાદ બિરલા પરિવારના એક ગોડાઉનને ભાડે લેવામાં આવ્યું, જેનું નામ ગોવિંદધામ રાખવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક ગીતા પ્રેસની સ્થાપના 1923માં થઈ હતી. કેન્દ્રીય મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના 116.2 કરોડ  પુસ્તકોનો સમાવેશ થાય છે.


કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે?


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ 'ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા'નું કવર પેજ શેર કર્યું છે. તે સાથે જ દલીલ કરતાં કહ્યું કે આ પુસ્તક બહુ સારું જીવનચરિત્ર છે. તેમણે કહ્યું કે લેખકે મહાત્મા સાથેના સંગઠનના ખંડિત સંબંધો અને તેમની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર ચાલી રહેલી લડાઈઓને ઉજાગર કરી છે. ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવો એ 'સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા' સમાન છે. આ નિર્ણય હાસ્યાસ્પદ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!