બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં ગર્લફ્રેન્ડને ચોથા માળેથી નીચે ફેંકી, યુવતીનું મોત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 15:15:56

લખનૌના દુબગ્ગામાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં પ્રેમીએ પ્રેમિકાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન થોડા સમય બાદ તેમનું મોત થયું હતું. તે જ સમયે, આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે.

Image

નિધિ ગુપ્તા (19) તેના પરિવાર સાથે દુબગ્ગાની દુદા કોલોનીમાં રહેતી હતી. તેણીને નજીકના બ્લોક નંબર-40માં રહેતા સુફીયાન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સુફિયાને તેને થોડા દિવસ પહેલા મોબાઈલ ફોન આપ્યો હતો. સંબંધીઓને મંગળવારે આ અંગેની જાણ થઈ હતી. આ અંગે ફરિયાદ કરવા તેઓ સુફીયાનના ઘરે પહોંચ્યા ત્યારે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન યુવતી ટેરેસ પર ગઈ હતી. સુફીયાન પણ તેની પાછળ ગયો. યુવતીના સંબંધીઓનો આરોપ છે કે સુફિયાને યુવતીને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી.

Image

ઘણા દિવસોથી ધર્મ બદલવાનું દબાણ હતું

પરિવારજનોના જણાવ્યા અનુસાર હાઈસ્કૂલ પાસે નિધિ બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન તેનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તે ઘણા દિવસોથી દબાણ કરતો હતો. જ્યારે નિધિ તેનો વિરોધ કરી રહી હતી.


આરોપીની શોધમાં પોલીસની ત્રણ ટીમો તપાસ કરી રહી છે

સુફીયાન અને નિધિ બંને પરિવારો વચ્ચેના વિવાદને કારણે બ્લોકના મોટાભાગના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી કઈક પડવાનો અવાજ સંભળાયો હતો. લોકોએ જોયું તો નિધિ લોહીથી લથપથ રોડ પર પડી હતી. સ્વજનો તેને બેભાન અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. તે જ સમયે પડોશીઓએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ નિધિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુનો કર્યા બાદ માત્ર સુફીયાન જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. સુફીયાન મોબાઈલ પર પણ યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો. ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ દુબગ્ગા સુખબીર સિંહ ભદૌરિયાના જણાવ્યા મુજબ, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસની ત્રણ ટીમ આરોપીની શોધખોળ રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.