પિતાની વાતનું માઠુ લાગતા રાજકોટના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-04-09 12:29:24

રાજ્યમાં નાની-નાની વાતે આત્મહત્યાની ચોંકાવનારી ઘટનાઓ સતત વધી રહી છે, તેમાં પણ બાળકો અને વિદ્યાર્થીઓ પણ હવે આત્મહત્યાને માર્ગે વળ્યા છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે. માતા-પિતાની હિતકારી વાતોનું પણ માઠું લગાડીને બાળકો- વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. જેમ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક ગામમાં યુવતીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. 


શા માટે અંતિમ પગલું ભર્યું


ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય નેહલ દોમડીયા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતી નેહલબેન અતુલભાઈ દોમડીયા છેલ્લા એક માસથી પેટના દુ:ખાવાથી પીડિત હતી. નેહલ દોમડીયાની સારવાર પણ ચાલુ હતી ગત રાત્રે ફરીવાર તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં પરીવારજનોને જાણ કરી હતી. જે અંગે તેના પિતાએ સવાર સુધી રાહ જોવાનું કહેતા તેને માઠુ લાગી આવ્યું હતું. બાદમાં તેણે રૂમમાં જઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક  તેને સારવાર માટે પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સિવિલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


પોલીસે શરૂ કરી કાર્યવાહી


નેહલ દોમડીયાના નિધનના અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પરીવારજનોનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે મૃતક યુવતીના પિતા ખેતીકામ કરે છે અને મૃતક યુવતી તમામ  ભાઈ-બહેનમાં નાની હતી. આ ઘટના બાદ પરીવાર અને સમગ્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.