વડોદરામાં ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું, પરિવારજનો શોકમાં ગરકાવ


  • Published By :
  • Published Date : 2023-05-03 17:30:31

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ માટે તનતોડ મહેનત કરતા હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓનું પરીણામ ખરાબ આવતા કે નાપાસ થતા તે નાસીપાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે. જેમ કે વડોદરાની એક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. 17 વર્ષીય જીગ્નીશા પટેલની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


ડિપ્રેશનમાં આવી અંતિમ પગલું ભર્યું


વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા પારુલ એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષીય જીગ્નીશા પટેલ ધો. 12 સાયન્સમાં નાપાસ થઇ હતી. નાપાસ થવાના કારણે જીગ્નીશા ડિપ્રેશનમાં જતી રહી હતી અને ઘરના પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીના મૃતદેહને જોઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


પોલીસે કરી પરિવારજનોની પૂછપરછ


વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જોકે પરિવારને પણ દીકરીએ આ પગલું કેમ ભર્યું તેની જાણ ન હતી. ગઇકાલે ધો. 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું અને તેમાં જીગ્નીશા નાપાસ થઇ હતી. જેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


દિકરીના મોતથી પરિવારજનો શોકાતુર


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાપાસ થતાં વડોદરાની એક 17 વર્ષીય વિદ્યાર્થિની જીગ્નીશા પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દીકરીએ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!