વેરાવળમાં ડૉ. ચગની આત્મહત્યા કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ, પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-10 21:24:38

ગીર સોમનાથના વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને સવાલો થઈ રહ્યા છે. ડો. ચગના આપઘાતને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ પ્રગતી થતી જોવા મળતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડૉક્ટર અતુલકુમાર ચગે લખેલી સ્યૂસાઈડ નોટમાં આત્મહત્યા માટે સીધી જ રીતે ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબદાર ઠરાવતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના નામાંકિત ડો. ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.


પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કંટેમ્પ્ટ પિટીશનમાં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી, DySP ખેંગાર, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા છે.


કોંગ્રેસે પણ કાર્યવાહીની માગ કરી


ડો. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.