વેરાવળમાં ડૉ. ચગની આત્મહત્યા કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ, પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-10 21:24:38

ગીર સોમનાથના વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને સવાલો થઈ રહ્યા છે. ડો. ચગના આપઘાતને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ પ્રગતી થતી જોવા મળતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડૉક્ટર અતુલકુમાર ચગે લખેલી સ્યૂસાઈડ નોટમાં આત્મહત્યા માટે સીધી જ રીતે ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબદાર ઠરાવતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના નામાંકિત ડો. ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.


પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કંટેમ્પ્ટ પિટીશનમાં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી, DySP ખેંગાર, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા છે.


કોંગ્રેસે પણ કાર્યવાહીની માગ કરી


ડો. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે