સિંહ દર્શન માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 14:56:03

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે ગીર અભયારણ્ય ખોલી દેવામાં આવ્યું છે. સાસણ ગીરનું અભિયારણ ચાર મહિના બાદ ફરી એક વખત પ્રવાસીયો માટે ખુલ્લું મૂકાયું છે. સિંહોને જોવા માટે અનેક લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેને કારણે ગીરમાં પ્રવાસીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મહિના માટે અભયારણ્ય બંધ રાખવામાં આવ્યું હતું . પરંતુ સિંહની રજાઓ પૂર્ણ થતા અભયારણ્ય ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. 


હમણાંથી લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ   

એશિયાટિક સિંહને જોવા અનેક લોકો ગીર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ હવે દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે તેવામાં આ સ્થળ પર લોકોનો ઘસારો વધારે જોવા મળશે. દિવાળીને કારણે હમણાંથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.  વનવિભાગ પણ પ્રવાસીઓને અગવડ ના પડે તે માટે તૈયારીઓ કરી રહ્યું છે.      

4 મહિના માટે બંધ હોય છે અભયારણ્ય

ચોમાસાના 4 મહિના દરમિયાન આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આટલા મહિના બાદ અભયારણ્ય ખુલતા અભયારણ્યની મુલાકાત લેવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. વેકેશન હોવાને કારણે બાળકોમાં પણ સિંહ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.