GETCO : પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર આ પરીક્ષા, Yuvrajsinhએ કહ્યું આ જીત ઉમેદવારો ની એકતાની છે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 10:47:50

લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે એનું ઉદાહરણ છે જેટકોનું આંદોલન. જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે, જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. જાહેરાત જેમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે ઉમેદવારો એ 9-9-23એ લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે તો એ લોકોને ફરી લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી એ પોલ ટેસ્ટ તો આજે લેવાવાનો છે.

જેટકો દ્વારા કરવામાં આવી નવી જાહેરાત  

જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો. આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સાથે રહ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માગ સાથે અડગ હતા. તે બાદ એમડી સાથે મિટીંગ થઈ અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું. જે નવી જાહેરાત કરવામાં આવી છે તે એ પરીક્ષાર્થીઓની જીત છે જે આંદોલન કરી રહ્યા હતા.   


યુવરાજસિંહએ આપી પ્રતિક્રિયા 

જેટલા પણ ઉમેદવારો વડોદરામાં વિરોધ કરી રહ્યા હતા આખે આખી રાત રસ્તા પર બેઠા હતા એ બધાની આજે જીત થઈ છે. આ લોકો ચૂપ રહ્યા હોત અન્યાય સામે તો સૌથી પહેલો ભોગ એમનો લેવાતો. જો ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો એ તમારું કર્તવ્ય છે કે અવાજ ઉઠાવો નહીં તો તમારો અવાજ દબાવવામાં આવશે. તમારા સપનાઓ કચડવામાં આવશે જો તમે અવાજ નહીં ઉપાડો તો આ આંદોલનમાં સૌથી વધારે ફાળો યુવાનેતા યુવરાજસિંહનો પણ રહ્યો છે. એ પણ યુવાનો સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા તો આ નિર્ણયથી એ સંતુષ્ટ છે કે નહિ તે અંગેની તેમણે પ્રતિક્રિયા આપી છે.  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.