Gujaratના રાજકારણમાં ગરમાવો! કોંગ્રેસના દિગ્ગજ નેતા અને Adivasi ચહેરો મનાતા નારણ રાઠવા થશે ભાજપના, કોંગ્રેસને મોટો ફટકો!


  • Published By :
  • Published Date : 2024-02-27 11:42:17

લોકસભાની એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નિતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે જેમાં બીજી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે કારણ કે નારણ રાઠવા આદિવાસી ચહેરો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.  

Image


ચૂંટણી પહેલા ભાજપમાં થતી હોય છે વેલકમ પાર્ટી!

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. કોંગ્રેસના અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ઓપરેશન લોટસ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. પેટાચૂંટણી થવાની છે અને ભાજપ તેમને ઉમેદવાર પણ બનાવી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 


ગુજરાતમાં 7માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરવાની છે પ્રવેશ!

એક તરફ કોંગ્રસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કેસરિયો ધારણ કરવાના છે. રાજ્યસભા સાંસદ નારણ રાઠવા તેમજ તેમન પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7મી માર્ચે પ્રવેશ કરવાની છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે અને તેની પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.      


આદિવાસી નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને કહ્યું રામ રામ! 

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે. યાત્રા ગુજરાતમાં પ્રવેશે તેની પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાવાના છે. મહત્વનું છે નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી અટકળોએ જોર પકડ્યું છે કે  તેમને લોકસભાના ઉમેદવાર પણ બનાવાઈ શકાય છે. ત્યારે જોવું રહ્યું આ રાજકારણ હજી કેટલા રંગ દેખાડે છે... !



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.