રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ થવા મુદ્દે જર્મનીએ આપી પ્રતિક્રિયા, ન્યાય સ્વતંત્રતા અંગે ભારતને સલાહ આપતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-30 11:35:19

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. રાહુલ ગાંધીના આ સમાચારને ઈન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કર્યું હતું. વિદેશના નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. થોડા સમય પહેલા અમેરિકા તરફથી આ મામલે નિવેદન આવ્યું હતું જ્યારે આજે જર્મની તરફથી આ વિશે નિવેદન આવ્યું છે. પોતાના નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના કિસ્સામાં, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો લાગુ થવા જોઈએ. 

jagran

માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી હતી સજા    

2019માં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયાના અમુક કલાકો બાદ જ તેમની સંસદની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ અમેરિકાના પ્રવક્તા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આજે જર્મનીના વિદેશમંત્રાલય દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.    



જર્મની વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી ચુકાદા સામે અપીલ કરી શકે તેવી સ્થિતિમાં છે. અપીલ બાદ તે સ્પષ્ટ થશે કે નિર્ણય રહેશે કે નહીં અને તેની સંસદની સદસ્યતા રદ કરવા માટે કોઈ કારણ છે કે કેમ. અમે ન્યાયિક સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ. 


અમેરિકા તરફથી પણ આવ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી મામલે આ પહેલા અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી. અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે ભારતીય અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં ભારત સરકારની સાથે છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!