અમેરિકા પછી જર્મની પણ ગુજરાતીઓને કરશે ઘરભેગા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-16 10:18:30

હાલમાં વિશ્વભરમાં એક મુદ્દો ચર્ચામાં છે તે છે "ઇમિગ્રેશન" . થોડાક સમય પેહલા આપણે જોયું કે , કેવી રીતે અમેરિકાએ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલ્યા છે . હવે ભારતીયોને પોતાની સલામતીને લઇને જર્મનીમાં પણ ડર લાગી રહ્યો છે કેમ કે , ૨૦૨૪ની ક્રિસમસ પર તેના શહેર માગ઼ડ઼ેબર્ગમાં માર્કેટ અટેક થયો હતો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા હતા . આ પછી ત્યાંના ફેડરલ ઇલેક્શન્સમાં કન્ઝર્વેટિવ વિપક્ષી નેતા ફ્રેડરિક મર્જની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(CDU) પાર્ટીને જીત મળી છે . જેમનું વલણ ઇલલીગલ ઇમિગ્રેશનને લઇને ખુબ કડક છે . તો આજે આપણે જોઇશું કે જર્મનીમાં આપણા ભારતીયોના સલામતીને લઇને શું પ્રશ્નો છે? 

જર્મની યુરોપનું પાવરહાઉસ એટલેકે સૌથી મોટું અર્થતંત્ર છે . બીજા વિશ્વયુદ્ધ પછી તેના ઔદ્યોગિક વિકાસે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે . દાખલા તરીકે , યુરોપમાં કાર ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓના હેડ ક્વાર્ટર જર્મનીમાં આવેલા છે . હવે જર્મની વિન્ડ પાવર અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે. પરંતુ જર્મનીમાં એક સમસ્યા છે તે છે કે તેની પાસે સ્કિલ્ડ વર્કફોર્સ નથી . ભારતીયો તેની કમી પુરી કરી રહ્યા છે.  પરંતુ હવે જર્મનીમાં માત્ર ભારતીયો જ નથી બીજા ઘણા દેશોના ઈમીગ્રેન્ટ્સ જોવા મળે છે જેમ કે સીરિયન્સ , ઇરાકી વગેરે . આ યુદ્ધગ્રસ્ત દેશોના ઘણા નાગરિકો ગેરકાયદેસર રીતે જર્મનીમાં ઘુસેલા છે .  જર્મનીની રાજનીતિમાં ફાર રાઈટ વિંગ એટલેકે , જમણેરી રાષ્ટ્રવાદીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે જે આ ગેરકાયદેસર  ઇમિગ્રેન્ટ્સની વિરુદ્ધમાં છે ઉપરાંત ઇમિગ્રેન્ટ્સ પર હુમલાઓ વધી રહ્યા છે . આગળ જેમ વાત કરી તેમ , ૨૦૨૪માં ક્રિસમસ માર્કેટનો હુમલો થયો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા છે .  

જોકે આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , "ઘણા લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમારી પ્રાર્થનાઓ પીડિતો સાથે છે. અમે ઘાયલ ભારતીયો તેમજ તેમના પરિવારોના સંપર્કમાં છીએ અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડીશું." વર્તમાનમાં ભારત અને જર્મનીના સબંધો ખુબ મજબૂત થયા છે . કેમ કે , ભારતીય ફોરેન પોલિસીની પ્રાયોરિટીમાં યુરોપ અને અમેરિકા મોખરે છે . આ બેઉ દેશો વચ્ચે વેપાર પણ મજબૂત થયો છે.  પરંતુ આ બને દેશો વચ્ચે પીપલ ટુ  પીપલ ટાયસ મજબૂત કરવા ભારતીયોની સલામતી મહત્વની છે . કેમ કે ભારતીયો જર્મનીને સ્કિલ્ડ વર્ક ફોર્સ આપી રહ્યા છે અને જો જર્મની આ સલામતી આપવામાં ઉણુ ઉતરશે તો ભારતીય સ્કિલ્ડ ફોર્સ માટે બીજા દેશોના વિકલ્પ પણ ખુલ્લા છે . તો હવે જોવાનું એ છે કે જર્મનીમાં નવી સરકાર કેવી રીતે ઇમિગ્રેન્ટ્સની સલામતીનું ધ્યાન રાખે છે .




પેહલીવાર એવું થયું છે કે , કોઈ એક નાટો દેશ બીજા નાટો દેશને પચાવી પાડવા માંગે છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે જ નાટોના વડા માર્ક રૂટને મળ્યા જ્યાં તેમણે ગ્રીનલેન્ડને પચાઇ પાડવા નાટોની મદદ માંગી . તેની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે , ચાઈના અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠે ગતિવિધિ વધી રહી છે

સોનાના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આ પાછળના મુખ્ય કારણોમાં ટ્રેડ વોર , અમેરિકન ફુગાવામાં વૃદ્ધી થકી વ્યાજદરમાં ઘટાડો , આર્થિક મોરચે વધી રહેલી અનિશ્ચિતતા છે . શુક્રવારે હોળી તહેવાર નિમિત્તે ભારતમાં બંધ બજારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ જીએસટી સાથે નવી ઐતિહાસિક ઉંચાઈએ રૂ. ૯૧,૫૦૦ બોલાયો હતો. બજારના વ્યૂહરચનાકાર તો ત્યાં સુધી કહે છે કે સોનાની આવી જ તેજી જળવાઈ રહેશે, તેને આધારે ભાવ નવી નવી ઊંચાઈ સાથે વિક્રમો સર્જાશે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .