રસ્તાના નિર્માણ દરમિયાન ગેનીબેન ઠાકોરે લીધી સ્થળ મુલાકાત, કામગીરીને જોતા ધારાસભ્યએ લીધો આ નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-21 10:45:55

ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત મોડલ બતાવીને દેશમાં કેટલો વિકાસ થયો છે તે બતાવવાની કોશિશ કરાતી હોય છે. પરંતુ કડવી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. રોડ રસ્તા પર ફરતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડતાં ખાડાઓને લઈ લોકો ત્રસ્ત છે. વિદેશથી જ્યારે મહેમાનો આવે ત્યારે રોડ રસ્તાને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળની કાયાપલટ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી તો ત્યાંની ત્યાં જ હોય છે. રસ્તા પર પડતા ખાડાને લઈ લોકોએ જાણે માની લીધું હોય કે આપણે રસ્તા પરથી નહીં પરંતું ખાડા પરથી પસાર થઈ રહ્યા છીએ. ખાડામાં જો રસ્તો દેખાય તો લોકો તેને અહોભાગ્ય માનતા હોય છે. 

રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચાર અંગે ઘણી વખત કરાઈ છે ચર્ચા

ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થતું હોય છે. પરંતુ ચોમાસા સિવાય પણ અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વ્યક્તિ એક હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખાડતા દેખાય છે. તો કોઈ વખત ચાદરની જેમ રસ્તો આખો ઉઠતો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ન માત્ર લોકો પરંતુ વિપક્ષના નેતાઓ અનેક વખત લગાવે છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હમેશા ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે કામ તેમણે કર્યું છે તે ચર્ચામાં આવ્યું છે. 

રસ્તાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવાનોની ટીમ રાખવામાં આવશે  

રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. રસ્તાનું નિર્માણ થતું હતું તે જગ્યાની મુલાકાત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીધી હતી. જ્યારે ગેનીબેન ઠાકોરે ભાભર થી કટાવ વચ્ચે બની રહેલા રોડ કામની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે નિર્માણ દરમિયાન યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું નથી. જેને લઈ યોગ્ય ગુણવત્તા વાળું મટિરીયલ વાપરવામાં આવે તેવી સૂચના આપી દીધી હતી. વાવના ધારાસભ્યે કહ્યું કે જ્યાં સુધી કામ પૂર્ણ નાં થાય ત્યાં સુધી કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનોની ટીમ બનાવીને ત્યાં રાખવામાં આવશે. હવે ટીમ બની છે તો તે ત્યાં રહી નિર્માણ કાર્ય કેવી રીતે થાય છે તેની પર નજર રાખશે.   


જનતાના પૈસાએ થાય છે વિકાસના કામો!

મહત્વનું છે કે રોડ રસ્તામાં થતાં ખાડાને કારણે ન માત્ર વાહનોને નુકસાન પહોંચે છે પરંતુ માણસના શરીરને પણ કષ્ટ પહોંચે છે. રસ્તા પર પડતા ખાડા, રસ્તાના નિર્માણ પાછળ કરવામાં આવતો ખર્ચ ઉપરાંત નિર્માણ પછી સમારકામ કરવા માટે કરવામાં આવતો ખર્ચ જનતાના પૈસાએ થાય છે. જનતા જે ટેક્સ ભરે છે તે પૈસાથી વિકાસના કામો થતાં હોય છે.    




રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.