ગેનીબેન ઠાકોર અપનાવશે ગાંધી ચિંધ્યો માર્ગ! જેલભરો આંદોલન કરવા કર્યું લોકોનું આહ્વાહન! જાણો જમાવટને શું કહ્યું ગેનીબેન ઠાકોરે?


  • Published By :
  • Published Date : 2023-07-03 11:38:23

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે. ભાજપની સરકાર પર અનેક વખત તેઓ પ્રહાર કરતા દેખાય છે. કોઈ વખત તેમના નિવેદનને કારણે તો કોઈ વખત તેમની ટ્વિટને કારણે તો કોઈ વખત તેઓ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓને કારણે તેઓ હેડલાઈન્સમાં રહેતા હોય છે. ત્યારે તેમના એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટ કરી બનાસકાંઠાના એસપીને નિશાનો બનાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરો તેમજ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જેને લઈ તેમણે જેલભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે.  


ગેનીબેન ઠાકોરની ટ્વિટથી ગરમાયું રાજકારણ 

સત્તા પક્ષ પર સત્તાનો દુરૂપયોગ થવાના આરોપો અનેક વખત વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અનેક વખત એવા સમાચારો સામે આવ્યા હોય છે જેમાં વિપક્ષી નેતા ભાજપ પર પ્રહાર કરતા દેખાય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે મુખ્યત્વે ચર્ચામાં હોય છે. ત્યારે ફરી તેમની એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. 

જેલભરો આંદોલન કરવાની કરી જાહેરાત 

ટ્વિટમાં ગેનીબેન ઠાકોરે લખ્યું છે કે આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે આ વાતને લઈ ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ તેમની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.