ગેનીબેન ઠાકોર અપનાવશે ગાંધી ચિંધ્યો માર્ગ! જેલભરો આંદોલન કરવા કર્યું લોકોનું આહ્વાહન! જાણો જમાવટને શું કહ્યું ગેનીબેન ઠાકોરે?


  • Published By :
  • Published Date : 2023-07-03 11:38:23

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે. ભાજપની સરકાર પર અનેક વખત તેઓ પ્રહાર કરતા દેખાય છે. કોઈ વખત તેમના નિવેદનને કારણે તો કોઈ વખત તેમની ટ્વિટને કારણે તો કોઈ વખત તેઓ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓને કારણે તેઓ હેડલાઈન્સમાં રહેતા હોય છે. ત્યારે તેમના એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટ કરી બનાસકાંઠાના એસપીને નિશાનો બનાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરો તેમજ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જેને લઈ તેમણે જેલભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે.  


ગેનીબેન ઠાકોરની ટ્વિટથી ગરમાયું રાજકારણ 

સત્તા પક્ષ પર સત્તાનો દુરૂપયોગ થવાના આરોપો અનેક વખત વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અનેક વખત એવા સમાચારો સામે આવ્યા હોય છે જેમાં વિપક્ષી નેતા ભાજપ પર પ્રહાર કરતા દેખાય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે મુખ્યત્વે ચર્ચામાં હોય છે. ત્યારે ફરી તેમની એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. 

જેલભરો આંદોલન કરવાની કરી જાહેરાત 

ટ્વિટમાં ગેનીબેન ઠાકોરે લખ્યું છે કે આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે આ વાતને લઈ ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ તેમની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!