TET, TAT અને જ્ઞાન સહાયકોને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સમર્થન, '156 સીટ આપી છે, હવે તો કાયમી ભરતી કરો'


  • Published By :
  • Published Date : 2023-07-16 19:34:49

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શિક્ષકોની કરાર આધારીત ભરતીનો વિરોધ કર્યો છે. ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પ્રવિણ માળીને જાહેરમાં કહી દીધું હતું કે 156ની સરકાર છે, કરાર આધારિત નહીં કાયમી ભરતી કરો. TET, TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવેલા ગેનીબેન ઠાકોરે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ જ્ઞાન સહાયક ભરતી રોકવા માગ કરી છે. સરકાર 11 મહિનાના કરાર સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિકમાં 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. જેનો પહેલા આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે વિરોધ કર્યો છે.  


ઉમેદવારોએ કરી રજુઆત


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરાર આધારીત ભરતીનો વિરોધ કર્યો છે. TET,TAT પાસ ઉમેદવારો જ્યારે ઉમેદવારો પોતાની માગ લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પાસે પહોંચ્યા હતા. બધા નેતાઓ પાસે પહોંચી ઉમેદવારોએ પોતાની માગ રજુ કરી હતી કે બારમું પાસ કરીને સ્નાતક, બીએડ, એમએડ અને ટેટ ટાટ પાસ કરીએ એમાં 11 વર્ષ નીકળી જાય દાયકો નીકળી જાય છે. ઉમેદવારો સાથે આ દરમિયાન ત્રણેય ધારાસભ્ય ઉમેદવારો સાથે હાજર હતા તે સમયે પ્રવીણ માળીએ કહ્યું કે ઉમેદવારોની માગ અને સરકાર સુધી પહોંચાડીશું, જો કે આ સાંભળીને ગેનીબેન ઠાકોર તેમને સવાલ કર્યો હતો કે ગુજરાતે તમને 156 સીટ આપી છે એ કોન્ટ્રાક્ટ બેઝ માટે થોડી આપી છે, છોકરાઓને કાયમી નોકરી આપો.


કરાર આધારિત ભરતીનો વિરોધ


‘જ્ઞાન સહાયક’ કરાર આધારિત ભરતીનો વિરોધ કરતા ઉમેદવારોએ આવેદનપત્ર આપતા કહ્યું છે કે, સરકાર દ્વારા “જ્ઞાન સહાયક”ની 11 મહિનાના કરાર આધારિત ભરતીનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 5 –5 વર્ષથી સરકારે TET અને TAT પરીક્ષા લીધી નથી અને 2023માં જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવી તો સરકાર “જ્ઞાન સહાયક”ની કરાર આધારિત ભરતી કરવા જઈ રહી છે. કેટલાય ઉમેદવારોની ઉંમર થવા આવી છે. વધારેમાં વધારે 35 વર્ષના ઉમેદવારો જ આ નોકરીમાં જોડાઈ શકે છે તો એ એન્ગલથી જોવા જઈએ તો 2017માં જે 2600 લોકોની ભરતી કરવામાં આવી ત્યાર પછી કોઈ ખાસ મોટી ભરતી નથી કરવામાં આવી અને એ લોકો પણ હજુ કેટલા બેકાર ઉમેદવારો હશે? સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા આવા ઉમેદવારો માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક” ભરતી લોલીપોપ સાબિત થઈ છે. 


ઉમેદવારોની આંદોલનની ચીમકી


રાજ્ય સરકાર એક તરફ તો આ જ્ઞાન સહાયક ભરતીને વચગાળાની વ્યવસ્થા કહી રહી છે જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે. પરંતુ બીજી તરફ જ્ઞાન સહાયકની ભરતી માટે જે પ્રકિયા કરવી પડે તે જ પ્રક્રિયા કાયમી ભરતી માટે પણ છે તો સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? અત્યારે દરેક ઉમેદવાર માટે આ એક સળગતો સવાલ છે. સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરીને સીધી રીતે ભાવી શિક્ષકો અને નિર્દોષ બાળકો સાથે અન્યાય કરી રહી છે. આ જ કારણે ઉમેદવારોમાં ભારોભાર અન્યાયની લાગણી જોવા મળી રહી છે. ઉમેદવારોએ રાજ્ય સરકારને ચીમકી આપી છે કે જો આ જ્ઞાન સહાયકની ભરતી અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો 18 જુલાઈના રોજ તેઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર પણ ઉતરશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!