પ્રસંગોમાં DJ વાગતા ડી.જેને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન, ધારાસભ્યે આપ્યું દીકરીઓના ભાગી જવા પાછળનું કારણ! જાણો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-25 16:49:58

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પોતાના નિવદેનને કારણે ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાભર ખાતે આયોજીત ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપતા તેમણે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપી તેમણે 34 દંપત્તિને આશીર્વાદ આપ્યા હતા.     


ડી.જે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેન ઠાકોરે કરી હતી માગ!

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી હતી. ભાભરના ઈન્દ્રરવા ગામમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.   


દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર!

ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. તેમણે કહ્યું કે રાત્રે તમે ડીજે વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરૂદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ ડીજે તેના માટે જવાબદાર છે. તે ઉપરાંત તેમણે નવ દંપત્તિને સલાહ આપતા કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું જોઈએ.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.