પ્રસંગોમાં DJ વાગતા ડી.જેને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન, ધારાસભ્યે આપ્યું દીકરીઓના ભાગી જવા પાછળનું કારણ! જાણો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-25 16:49:58

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પોતાના નિવદેનને કારણે ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાભર ખાતે આયોજીત ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપતા તેમણે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપી તેમણે 34 દંપત્તિને આશીર્વાદ આપ્યા હતા.     


ડી.જે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેન ઠાકોરે કરી હતી માગ!

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી હતી. ભાભરના ઈન્દ્રરવા ગામમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.   


દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર!

ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. તેમણે કહ્યું કે રાત્રે તમે ડીજે વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરૂદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ ડીજે તેના માટે જવાબદાર છે. તે ઉપરાંત તેમણે નવ દંપત્તિને સલાહ આપતા કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું જોઈએ.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.