માલધારી બાદ કોળી સમાજનું મહાસંમેલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:51:06

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર પર દબાણ વધારવા અનેક સમાજ આગળ આવી રહ્યા છે. માલધારી સમાજ બાદ કોળી સમાજે સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાતા રાજકારણ ગરમાયું છે.

કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા.


અમારા સમાજની 10 માગણી પર સરકાર ધ્યાન આપે - કોળી સમાજ

જસદણ કોળી સમાજના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગામમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેને વધારામાં આવે. સરકાર અમારી 9 પડતર માગણી પર ધ્યાન આપે તેવી રજૂઆત કરવામાં આવશે.સરકાર તેમની માગને તાત્કાલિક સ્વીકારે તેવી માગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ અને ભોળા ગોહિલ બંન્નેને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ કેમ હાજર રહ્યા નહીં તે પ્રશ્ન છે.

Kunvarji Bavaliya Suspended From All India Koli Samaj Before Gujarat  Assembly Elections | વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાંથી કુંવરજી  બાવળીયાને સસ્પેન્ડ કરાયા, જાણો કુંવરજીએ ...


વાંકાનેરના AAPના નેતા વિક્રમ સોરાણી રહ્યા હતા ઉપસ્થિત

વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, આ સંમેલન અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા થયું છે, બીજું અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માગ કરવામાં આવી હતી.  

 

સરકારની ચિંતામાં થતો વધારો 

એક તરફ સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક સમાજો મહાસંમેલન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી સરકારને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલધારી સમાજની અનેક માગ સ્વીકારાતા કોળી સમાજ પણ આંદોલનના માર્ગે આગળ વધી શકે છે. 



રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.

કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.