ગીતિકા શર્મા સુસાઇડ કેસનો 11 વર્ષે આવ્યો ચુકાદો, મખ્ય આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા મુક્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:28:31

વર્ષ 2012માં દેશભરમાં ચકચાર મચાવી દેનારા ગીતિકા શર્મા સુસાઇડ કેસમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટનો ફેંસલો આવી ગયો છે. આ મામલે કોર્ટે કેસના મુખ્ય આરોપી હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના મેનેજર મેનેજર અરુણા ચઢ્ઢાને મુક્ત કર્યા છે. એર હોસ્ટેશ ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી મેનેજર અરુણા ચઢ્ઢા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે લગભગ 11 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એર હોસ્ટેસ ગીતિકા શર્માના પરિવારે આરોપ લગાવ્યો હતો કે 5 ઓગસ્ટ 2012ના રોજ તેમની પુત્રીને દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું હતું. કારણ કે પૂર્વ મંત્રી ગોપાલ કાંડાએ ગીતિકા પર ખૂબ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.


સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ લગાવ્યો હતો આરોપ

 

રાઉજ એવેન્યૂ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલે આ મામલે સહ આરોપી અરુણા ચઢ્ઢાને પણ મુક્ત કર્યા હતા. અને કહ્યું હતું. ફરિયાદી પક્ષ દરેક દરેક ઉચિત શંકાથી પરે આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગીતિકા શર્મા ગોપાલ કાંડાની MDLR એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેટ હતી. જે બાદમાં તેમની એક કંપનીમાં ડાયરેક્ટરના રૂપમાં પ્રમોટ કરામાં આવી હતી. 5 ઓગસ્ટ 2012ના રોજ દિલ્હીમાં તેના અચાનક જ મોતથી ચકચાર મચી ગઈ હતી. 4 ઓગસ્ટે પોતાની સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ 46 વર્ષીય ગોપાલ કાંડા અને એક અન્ય વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ગોપાલ કાંડાએ કહ્યું કે મારી સામે કોઈ પુરાવા ન્હોતા. મારા વિરુદ્ધમાં આ મામલો બનાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.


સુસાઇડ નોટમાં શું હતું?


મૃતક ગીતિકા શર્માએ સુસાઇડ પહેલા  2 પાનાની એક નોટ લખી હતી. જેમાં ગોપાલ કાંડા પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગીતિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આજે મેં પોતાની જાતને ખતમ કરી રહી છું. કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારો વિશ્વાસ તૂટી ગયો છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારા મોત માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારા વિશ્વાસને તોડી અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?


5 ઓગસ્ટ 2012 ના રોજ, 23 વર્ષીય ગીતિકાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં તેના ઘરમાં છતના પંખા નીચે લટકીને આત્મહત્યા કરી. પોલીસને ગીતિકા પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે ગોપાલ કાંડા અને તેનો એક કર્મચારી તેને હેરાન કરે છે, તેથી તે આત્મહત્યા કરી રહી છે. આગળ સુસાઇડ નોટમાં ગીતિકાએ લખ્યું છે કે 'મેં મારા જીવનમાં ગોપાલ કાંડા જેવો બેશરમ વ્યક્તિ ક્યારેય જોયો નથી, તે હંમેશા જૂઠું બોલે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.