દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાં, ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોથ રેટમાં ભારે ઘટાડો, GDPમાં માત્ર 4.4%ની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-02-28 20:46:13

દેશના અર્થતંત્રના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. દેશનો GDP રેટ નાણાકિય વર્ષ 2022-23ના ત્રિમાસિકમાં ઘટીને 4.4 રહ્યો છે. દેશમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે GDPમાં મોટો ઘટાડો નોંધાયો છે.


NSOએ જાહેર કર્યા GDPના આંકડા   


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા પરથી આ જાણકારી મળી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 11.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત, NSOએ છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્ધિ દરને 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કર્યો છે.


RBIએ પણ ઘટાડ્યું અનુમાન


RBIના અનુમાન મુજબ ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ આગાહીમાં કહ્યું હતું કે 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર 4.4 ટકા રહેશે. જ્યારે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.6 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પણ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ ક્વાર્ટરમાં વધુ ધીમી પડીને 4.4 ટકા અને 2023-24 દરમિયાન સરેરાશ 6.0 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાની જીડીપી રેટનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે વૃદ્ધિ 6.8 ટકા રહેશે.


અર્થશાસ્ત્રીઓએ મંદીની આગાહી કરી  


અત્રે ઉલ્લેખનિય છે કે અર્થશાસ્ત્રીઓના પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્તમાન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વધુ ધીમી પડીને 4.4 ટકા થવાનો અંદાજ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!