વિનોદ અદાણીની મુશ્કેલી વધી, Forbes મેગેઝીને કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-20 15:39:10

શોર્ટ સેલર હિંડનબર્ગની નેગેટીવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલી સતત વધી રહી છે. જો કે હવે તેમના ભાઈ વિનોદ અદાણીને લઈ જાણીતા બિઝનેશ મેગેઝીન Forbesએ મોટો ખુલાસો કર્યો છે. Forbesએ વિનોદ  અદાણી પર એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.


Forbesએ શું કહ્યું?


Forbesની જાણકારી મુજબ ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ખુબ જ નજીક છે. Forbesએ વિનોદ  અદાણી અંગે ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે વિનોદ અદાણીએ સિંગાપુર સ્થિત તેમની કંપની માટે એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેમણે ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટેકને ગીરો મુક્યો છે. આટલું જ નહીં તેમણે આ અંગેની માહિતી ભારતીય બેંકોને પણ આપી નથી. Forbesની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમોટરના હિસ્સાને બેંકોંને જણાવ્યા વગર જ ગીરો મુક્યો છે.   


કોણ છે વિનોદ અદાણી?


વિનોદ શાંતિલાલ અદાણી દેશના જાણીતા બિઝનેશ મેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે. સાયપ્રસ એ યુરેશિયન ટાપુ દેશ છે જેની રાજધાની નિકોસિયા છે. વિનોદ અદાણી મુંબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર કરે છે. તેની સાથે સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીઓ સંભાળે છે. હિંડનબર્ગની રિપોર્ટમાં પણ વિનોદ અદાણી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તે અનેક શેલ કંપનીઓ ચલાવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે