ગૌતમ અદાણીની સંપત્તિનું થયું ધોવાણ, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી નીકળી ગયું નામ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:54:56

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાંથી ગૌતમ અદાણીનો ક્રમ 11માં નંબર પર આવી ગયો છે. 10 અબજોપતિની યાદીમાંથી નીકળી ગયા છે.     

 


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને થયું ભારે નુકસાન 

હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. અદાણીના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને એકાઉન્ટ સંબંધિત ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ અદાણી ગ્રુપે જવાબ આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરોના ભાવ એકદમ ગગડી ગયા હતા.  


વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં નથી અદાણી સામેલ 

રિપોર્ટને કારણે સંપત્તિનું ધોવાણ થયું હતું. અબજો ડોલરનું નુકસાન થયું છે જેને કારણે 10 અબજોપતિની યાદીમાંથી ગૌતમ અદાણીનું નામ નીકળી ગયું છે. ચોથા ક્રમેથી સીધા 11માં નંબરે આવી ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ગૌતમ અદાણી 11 નંબરે છે અને મુકેશ અંબાણી 12માં નંબર પર છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.