ગૌતમ અદાણીએ સર્જ્યો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 25,43,28,36,00,00 રૂપિયાની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-01-29 18:31:53

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે આ સમય મુશ્કેલ છે. એક અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો છે. કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી, ખાતામાં છેતરપિંડી, વધુ કિંમત જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 106 પેજના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની આવક (નેટવર્થ)માં જબરદસ્ત ઘટાડો થયો છે.


ત્રીજા ક્રમેથી સરકીને 7મા સ્થાને પહોંચ્યા


ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ એક સપ્તાહમાં 32.2 અબજ ડોલર એટલે કે 25,43,28,36,00,00 રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ હવે તે અબજપતિઓની યાદીમાં ત્રીજા નંબરેથી પછડાઈને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 100 અબજ ડોલરની નીચે સરકી ગઈ છે. ફોર્બ્સની તાજેતરની બિલિયોનેરની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 96.7 અબજ ડોલર થઈ ગઈ છે. હિંડનબર્ગે તેનો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' પ્રકાશિત કર્યો હતો, જેણે હોબાળો મચાવ્યો હતો. અદાણીના શેરમાં ઘટાડા સાથે શેરબજારમાં પણ વેચવાલીનો સીલસીલો ચાલી રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર, જ્યાં ગૌતમ અદાણીએ આ અઠવાડિયે સૌથી વધુ સંપત્તિ (32.2 અબજ ડોલર) ગુમાવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.