આજે ગરબા રમાશે કે નહીં ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:48:36

આજે ગરબા રમાશે કે નહીં ?

નવરાત્રીના પ્રથમ દિવસે બપોરે વરસાદના ઝાપટાં પડ્યા હતા અને આજે બીજા દિવસે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, વટવા, મણિનગર, કાંકરિયા, સીટીએમ, જમાલપુર, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા. ઝાપટાં પડવાથી વાતાવરણ ઠંડુ બની ગયું છે. પરંતુ ગરબા શરૂ થાય તેના પેહલાજ વરસાદ પડતાં ગરબા રસિયાઑમાં ચિંતા છે કે આજે ગરબા રમાંશે કે નહીં ?

 

હવામાનની આગાહી

આજે વરસાદના ઝાપટાં પડ્યા છે. પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. ખેલૈયાઓમાં અત્યારથી ચિંતા પેસી ગઈ છે. ધોધમાર વરસાદના કારણે અનેક પાર્ટી પ્લોટમાં ગરબા યોજાશે કે કેમ? હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.