શક્તિપીઠોના પ્રાંગણમાં ગરબાનું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:38:22

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. શેરી ગરબાથી શરૂ થયેલી ગરબાની પ્રથા આજે પાર્ટી પ્લોટ સુધી પહોંચી છે. સરકારે પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવેલા શક્તિપીઠોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા સહિત 9 શક્તિપીઠો પર ગરબા રમાશે.

'મા'ના સાનિધ્યમાં યોજાશે ગરબા

નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો માતાજીના દર્શન કરવા શક્તિપીઠના દર્શને જાય છે. ભક્તિભાવ તેમજ ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠના ચાચર ચોકમાં ગરબા કરવાનો અનેરો મહિમાં હોય છે. જેને લઈ ખેલૈયાઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

Garba Vector Art, Icons, and Graphics for Free Download   

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય ગુજરાતીઓનો પ્રસંગ ગરબા વગર અધૂરો લાગે. ત્યારે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અનેક પ્રતિબંધોને કારણે મોટા આયોજનો રદ્દ કરાયા હતા. લાંબા સમયથી ગરબા રમવા ન મળતા લોકોમાં આ વર્ષે ડબલ ઉત્સાહ જોવા મળે છે. સરકાર પણ મોટા પાયે ગરબાનું આયોજન કરી રહી છે ત્યારે ગુજરાતના 9 શક્તિપીઠો પર પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગરબા માટે પ્રખ્યાત ગુજરાતીઓ ઘણા સમય બાદ ગરબે ધૂમશે.



લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે