શક્તિપીઠોના પ્રાંગણમાં ગરબાનું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:38:22

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. શેરી ગરબાથી શરૂ થયેલી ગરબાની પ્રથા આજે પાર્ટી પ્લોટ સુધી પહોંચી છે. સરકારે પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવેલા શક્તિપીઠોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા સહિત 9 શક્તિપીઠો પર ગરબા રમાશે.

'મા'ના સાનિધ્યમાં યોજાશે ગરબા

નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો માતાજીના દર્શન કરવા શક્તિપીઠના દર્શને જાય છે. ભક્તિભાવ તેમજ ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠના ચાચર ચોકમાં ગરબા કરવાનો અનેરો મહિમાં હોય છે. જેને લઈ ખેલૈયાઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

Garba Vector Art, Icons, and Graphics for Free Download   

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય ગુજરાતીઓનો પ્રસંગ ગરબા વગર અધૂરો લાગે. ત્યારે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અનેક પ્રતિબંધોને કારણે મોટા આયોજનો રદ્દ કરાયા હતા. લાંબા સમયથી ગરબા રમવા ન મળતા લોકોમાં આ વર્ષે ડબલ ઉત્સાહ જોવા મળે છે. સરકાર પણ મોટા પાયે ગરબાનું આયોજન કરી રહી છે ત્યારે ગુજરાતના 9 શક્તિપીઠો પર પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગરબા માટે પ્રખ્યાત ગુજરાતીઓ ઘણા સમય બાદ ગરબે ધૂમશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે