વિશ્વની સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાશે Garba, 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-12-06 14:52:23

ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ગમે તે પ્રસંગ કેમ ન હોય તે પ્રસંગની ઉજવણી ગરબા વગર ગુજરાતીઓને અધૂરી લાગે. ગુજરાતીઓ ગમે ત્યારે, ગમે તે તહેવાર હોય, કોઈ પણ ગીત પર ગરબા કરી શકે છે, આમ જોવા જઈએ તો આ એક ખુબી છે! ન માત્ર ગુજરાતમાં પરંતુ ગરબા વિશ્વભરમાં પ્રચલિત થઈ ગયા છે. ગરબાને વૈશ્વિક ઓખળ મળી ગઈ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.   

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન!

ગુજરાતના ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. બોત્સાવાના ખાતે યુનેસ્કો દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનું લાઈવ પ્રસારણ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહત્વનું છે કે ગરબાને માતાજીની, શક્તિની આરાધના માટેનું એક સાધન માનવામાં આવે છે. 

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ? - Gujju Planet

ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ તરીકે કરાશે જાહેર 

નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના માટે ગરબા કરવામાં આવે છે. વિવિધ જગ્યાઓ પર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગરબાનું તેમજ ગુજરાતનું મહત્વ વધ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.          



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.