વિશ્વની સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાશે Garba, 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે કરાઈ પસંદગી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 14:52:23

ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ગમે તે પ્રસંગ કેમ ન હોય તે પ્રસંગની ઉજવણી ગરબા વગર ગુજરાતીઓને અધૂરી લાગે. ગુજરાતીઓ ગમે ત્યારે, ગમે તે તહેવાર હોય, કોઈ પણ ગીત પર ગરબા કરી શકે છે, આમ જોવા જઈએ તો આ એક ખુબી છે! ન માત્ર ગુજરાતમાં પરંતુ ગરબા વિશ્વભરમાં પ્રચલિત થઈ ગયા છે. ગરબાને વૈશ્વિક ઓખળ મળી ગઈ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.   

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન!

ગુજરાતના ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. બોત્સાવાના ખાતે યુનેસ્કો દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનું લાઈવ પ્રસારણ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહત્વનું છે કે ગરબાને માતાજીની, શક્તિની આરાધના માટેનું એક સાધન માનવામાં આવે છે. 

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ? - Gujju Planet

ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ તરીકે કરાશે જાહેર 

નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના માટે ગરબા કરવામાં આવે છે. વિવિધ જગ્યાઓ પર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગરબાનું તેમજ ગુજરાતનું મહત્વ વધ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.          



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..