નવરાત્રીમાં ગરબાનું આયોજન કરી કમાણી કરવા માંગતા આયોજકો માટે પોલીસે બનાવ્યા કડક નિયમો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:10:48

નવલી નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદ્ય શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માટે આતુર ખૈલૈયાઓના ક્રેઝને જોતા આયોજકો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ગરબા આયોજકો માટે અમદાવાદ શહેર પોલીસે કડક નિયમો બનાવ્યા છે જેમ કે ગરબા સ્થળે ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે આયોજકોએ વિવિધ બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત થઈ ગયું છે. જેમાં ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગનું આયોજન કરવું અને તેની દેખરેખ માટે ગાર્ડ્સ રાખવા વગેરે નિયમોનું જો કડકાઈથી પાલન ન થયું અને ટ્રાફિક જામ થયો તો આયોજકો પર આકરા પગલાં પણ ભરવામાં આવી શકે છે તથા તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. આ કારણે ગરબા આયોજકોની મુશ્કેલી વધી છે.


પોલીસે કયા કડક નિયમો બનાવ્યા


ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે કડક નિયમો બનાવ્યા છે. તેમણે ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા ટકોર કરાઈ છે. વાહન પાર્કિગ કરતા સમયે લોકોને પરેશાની ન થાય તે માટે ખાસ ગાર્ડ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે આયોજકોએ CCTV કેમેરા લગાડવા પડશે. નોંધનીય છે કે ગરબા સ્થળ પર જે ગાર્ડ્સ છે તેમાં મહિલા અને પુરુષ બંને ફરજિયાત રાખવા પડશે.


નિયમોનો અનાદર કરનારા આયજકો સામે થશે કાર્યવાહી



પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ ગરબા આયોજનોને બનાવેલા નિયમો અંગે કહ્યું હતું કે આયોજકોએ આ નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. અમદાવાદમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરતા આયોજકો સાથે બેઠક કરીને પોલીસે નિયમો અંગે ચર્ચા કરી હતી. તેવામાં જો નિયમોનું યોગ્ય પાલન નહીં થાય તો આયોજકોના લાયસન્સ જપ્ત થવાની સાથે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.