કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-10-24 16:23:08

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઈશારો આપ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાભરના વજાપૂર ગામે રોડના ખાતમૂહુર્તના પ્રસંગે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વાતોવાતોમાં ઉમેદાવારોના નામ માટે ઈશારો આપી દીધો  હતો. તેમના કહેવા પ્રમાણે રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે.

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

પાર્ટી નામ જાહેર કરે તે પહેલા ગેનીબેને કર્યો દાવો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે અથવા કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ અંગે બંને પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 ઉમેદવારોને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાધનપૂરથી રઘુભાઈ રબારી ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

હાઈકમાન્ડ ઉમેદવારના નામ પર લગાડશે મોહર

કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા ગેનીબેન ઠાકોરના આવા દાવાથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસની સ્ક્રીંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 25 તારીખે જગદીશ ઠાકોર અને સુખરામ રાવઠા દિલ્હી જશે જે બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરશે. હાઈકમાન્ડ નામ પર મોહર લગાડશે તે બાદ ઉમેદવારોના નામ જાહેર થશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.