ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાની કોર્ટ રૂમમાં જ હત્યા, SIT કરશે હત્યાકાંડની તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-07 22:57:35

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના કૈસરબાગમાં પોસ્કો કોર્ટના ગેટ પર વકીલના પોશાકમાં સજ્જ એક યુવકે કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને ગોળી મારી દીધી હતી. જેમાં ગુનેગાર સંજીવ ઉપરાંત એક છોકરી અને એક જવાન ઘાયલ થયા છે. લખનૌ કોર્ટની બહાર બનેલી આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે વકીલના સ્વાંગમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાને 5 ગોળીઓ વાગી છે. પોલીસે ગોળીબારની ધરપકડ કરી છે. ફાયરિંગમાં એક બાળકી (લક્ષ્મી)નું મોત થયું છે, જ્યારે ACP અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સંજીવ મહેશ્વરી જીવા શામલીમાં પોલીસના હાથે એકે-47 અને 1300 કારતુસ સાથે ઝડપાયો હતો. વકીલોએ દોડીને હુમલાખોરને પકડી લીધો, માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલોને ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ વિરોધ કર્યો અને પથ્થરમારો કર્યો હતો.  ભારે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. મોહિત અગ્રવાલ, નિલાબ્જા ચૌધરી અને પ્રવીણ કુમાર એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે.


કઈ રીતે થઈ જીવાની હત્યા?


ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો મુઝફ્ફરનગરના શાહપુર આદમપુરનો રહેવાસી સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતો. તેની સામે બે ડઝન કેસ નોંધાયેલા છે. હત્યા અને SC/STના કેસમાં બુધવારે બપોરે તેને પોલીસ કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે લગભગ 3.50 વાગ્યે તેમના કેસનો વારો આવ્યો. જેવો તે ઉઠ્યો અને બહાર નીકળ્યો કે કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં બેઠેલા હુમલાખોરે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. કોર્ટ રૂમથી લઈને સમગ્ર કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. સંજીવનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર વકીલોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે જૌનપુરના કેરાકટનો રહેવાસી છે. તેનું નામ વિજય યાદવ છે. વકીલોએ તેને જોરદાર માર માર્યો હતો. જો કે કાર્યકારી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ ફોર્સ અને પીએસી જવાનો આવી પહોંચ્યા હતા. સંજીવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સંજીવ પર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો પરંતુ બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!