ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાની કોર્ટ રૂમમાં જ હત્યા, SIT કરશે હત્યાકાંડની તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-07 22:57:35

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના કૈસરબાગમાં પોસ્કો કોર્ટના ગેટ પર વકીલના પોશાકમાં સજ્જ એક યુવકે કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને ગોળી મારી દીધી હતી. જેમાં ગુનેગાર સંજીવ ઉપરાંત એક છોકરી અને એક જવાન ઘાયલ થયા છે. લખનૌ કોર્ટની બહાર બનેલી આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે વકીલના સ્વાંગમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાને 5 ગોળીઓ વાગી છે. પોલીસે ગોળીબારની ધરપકડ કરી છે. ફાયરિંગમાં એક બાળકી (લક્ષ્મી)નું મોત થયું છે, જ્યારે ACP અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સંજીવ મહેશ્વરી જીવા શામલીમાં પોલીસના હાથે એકે-47 અને 1300 કારતુસ સાથે ઝડપાયો હતો. વકીલોએ દોડીને હુમલાખોરને પકડી લીધો, માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલોને ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ વિરોધ કર્યો અને પથ્થરમારો કર્યો હતો.  ભારે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. મોહિત અગ્રવાલ, નિલાબ્જા ચૌધરી અને પ્રવીણ કુમાર એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે.


કઈ રીતે થઈ જીવાની હત્યા?


ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો મુઝફ્ફરનગરના શાહપુર આદમપુરનો રહેવાસી સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતો. તેની સામે બે ડઝન કેસ નોંધાયેલા છે. હત્યા અને SC/STના કેસમાં બુધવારે બપોરે તેને પોલીસ કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે લગભગ 3.50 વાગ્યે તેમના કેસનો વારો આવ્યો. જેવો તે ઉઠ્યો અને બહાર નીકળ્યો કે કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં બેઠેલા હુમલાખોરે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. કોર્ટ રૂમથી લઈને સમગ્ર કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. સંજીવનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર વકીલોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે જૌનપુરના કેરાકટનો રહેવાસી છે. તેનું નામ વિજય યાદવ છે. વકીલોએ તેને જોરદાર માર માર્યો હતો. જો કે કાર્યકારી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ ફોર્સ અને પીએસી જવાનો આવી પહોંચ્યા હતા. સંજીવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સંજીવ પર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો પરંતુ બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.