ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો, ગુજરાત હાઇકોર્ટે રેગ્યુલર જામીન ઉપર છોડવાનો કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2024-02-06 15:17:06

રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો થયો છે. ગુજસીકોટના ગુનામાં નિખીલ દોંગા ગેંગના એક પછી એક આરોપીના જામીન મંજૂર થયા બાદ આજે નિખીલ દોંગાના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટે નિખીલ દોંગાને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ગુજસીકોટના આરોપી નિખીલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ગોંડલ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને ગુજસીકોટ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર થતા તેમના સમર્થકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. 


નિખીલ દોંગા સામે 14 કરતા વધુ ગુના


નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધું હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ હતો. પરંતુ તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.