નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરનો વિવાદ વકર્યો, કોંગ્રેસના નેતા સલમાન સોઝે પણ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:46:27

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ હિંદુ મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેજરીવાલે તો માસ્ટર સ્ટ્રોક મારતા ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર રાખવાની પ્રધાનમંત્રી મોદી સમક્ષ માંગ કરી છે. કેજરીવાલની આ માગ બાદ તમામ રાજકિય પક્ષોના નેતાઓ ટ્વીટરના માધ્યમથી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે.


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે પણ કર્યું ટ્વીટ


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે ટ્વીટ કરતા કહ્યું કે પ્રિય અરવિંદ કેજરીવાલ જો લક્ષ્મી અને ગણેશ સમૃધ્ધી લાવી શકે છે, તો અમે વધુ સમૃધ્ધી માટે અલ્લાહ, જીસસ, ગુરૂ નાનક, બુદ્ધ અને મહાવીરનો પણ સમાવેશ કરવો જોઈએ.


શું કહ્યું  હતું કેજરીવાલે?


અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી મોદી સમક્ષ દેશની ચલણી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસ્વીર છાપવાની અપીલ કરી હતી, કેજરીવાલે સૂચન કર્યું કે "નવી નોટો પર એક તરફ મહાત્મા ગાધી તો બીજી તરફ ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર છાપી શકાય છે. તેમણે દાવો પણ કર્યો કે જો આપણી સાથે દેવી-દેવતાના આશિર્વાદ નથી તો અનેક પ્રયત્નો  કરવા છતાં પણ આપણે સફળ થઈ શકીશું નહીં, હું પ્રધાનમંત્રી મોદીને આપણી  તમામ કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર પ્રકાશિત કરવાની અપીલ કરૂ છું.'   


કેજરીવાલે તેમના દાવાને મજબુત બનાવતા ઈન્ડોનેશિયાનું દ્રષ્ટાત આપ્યું હતું, તેમણે કહ્યું કે ''ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને તેની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે, તેમણે સવાલ કર્યો કે જો ઈન્ડોનેશિયા આવું કરી શકે છે તો આપણે કેમ નહીં? ચલણી નોટો પર આ બંને ચિત્ર પ્રકાશિત કરી શકાય છે.''



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.