ગોંડલ - મોડી રાત્રે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, સવારે માહિતી સામે આવી કે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-06 10:56:35

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં થોડા દિવસો પહેલા આવ્યા હતા... તેમના દિકરા ગણેશ જાડેજાએ દાદાગીરી દેખાડી હતી... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, જેના કારણે FIR નોંધાઈ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ અને આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગઈકાલ રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ થઈ અને...

થોડા દિવસોથી ગણેશ જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી... દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી.. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ થઈ.. પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠ્યા.. જીગ્નેશ મેવાણી દ્વારા આ મામલે આકરૂં વલણ અપનાવવામાં આવ્યું હતું.. જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા કે પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી લીધી છે..


આ કેસની તપાસ કરી રહેલા અધિકારી અચાનક ઉતરી ગયા રજા પર!

ગણેશ જાડેજા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. વિવિધ ટીમો બનાવી ગણેશ જાડેજા ક્યાં છે તેની તપાસ કરાઈ રહી હતી. મોડી રાત્રે ગણેશ જાડેજા ક્યાં છે તેની જાણ થઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે.. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.    


જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી આંદોલન કરવાની ચિમકી 

મહત્વનું છે કે આ મામલે ગઈકાલે જ એમએલએ જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી હતી કે ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યમાં નવું કોઈ આંદોલન ઉભું ના થઈ જાય તે માટે, તેની પ્રેશરમાં આવીને પોલીસે આ પગલું ભર્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી અને તે બાદ અચાનક  જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા રજા પર ઉતર્યાએ ઘણા સવાલો ઊભા કરે છે.. ખેર આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.. તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.