ગોંડલ - મોડી રાત્રે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, સવારે માહિતી સામે આવી કે...! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 10:56:35

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં થોડા દિવસો પહેલા આવ્યા હતા... તેમના દિકરા ગણેશ જાડેજાએ દાદાગીરી દેખાડી હતી... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, જેના કારણે FIR નોંધાઈ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ અને આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગઈકાલ રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ થઈ અને...

થોડા દિવસોથી ગણેશ જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી... દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી.. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ થઈ.. પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠ્યા.. જીગ્નેશ મેવાણી દ્વારા આ મામલે આકરૂં વલણ અપનાવવામાં આવ્યું હતું.. જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા કે પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી લીધી છે..


આ કેસની તપાસ કરી રહેલા અધિકારી અચાનક ઉતરી ગયા રજા પર!

ગણેશ જાડેજા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. વિવિધ ટીમો બનાવી ગણેશ જાડેજા ક્યાં છે તેની તપાસ કરાઈ રહી હતી. મોડી રાત્રે ગણેશ જાડેજા ક્યાં છે તેની જાણ થઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે.. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.    


જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી આંદોલન કરવાની ચિમકી 

મહત્વનું છે કે આ મામલે ગઈકાલે જ એમએલએ જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી હતી કે ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યમાં નવું કોઈ આંદોલન ઉભું ના થઈ જાય તે માટે, તેની પ્રેશરમાં આવીને પોલીસે આ પગલું ભર્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી અને તે બાદ અચાનક  જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા રજા પર ઉતર્યાએ ઘણા સવાલો ઊભા કરે છે.. ખેર આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.. તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.