દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, મંદિરોમાં ઉમટી ભાવિકોની ભારે ભીડ, ગણેશજીને કરાયો વિશેષ શુંગાર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 10:03:21

ગણપતિ બાપ્પા મોર્યા.... આજે રસ્તાઓ પર, સોસાયટીમાં તેમજ ઘરોમાં આ નાદ સાંભળવા મળશે, કારણ કે આજે બાપ્પાની પધરામણી થઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભક્તો એકદન્તની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આ તહેવારની ઉજવણી રંગેચંગે થાય છે. ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ હોય છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનો વિશેષ મહિમા અનેરો છે. લાલબાગના રાજા, દગઠું શેઠ સહિતના ગણપતિ પંડાલોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ 

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અનેક તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. વિવિધતામાં એકતા આપણને આવા તહેરવારો દરમિયાન જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ તહેવારનો વિશેષ મહિમા રહેલો છે. ગણેશ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે દેશભરમાં લોકો કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલોને ડેકોરેટ કરવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.     




લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..