Gandhinagar : કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે દેખાડી નિષ્ઠુરતા! દ્રશ્યો જોઈ તમે કહેશો કે...


  • Published By :
  • Published Date : 2024-06-18 16:24:08

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરના રસ્તા પર ઉમેદવારો પોતાના હક માટે ઉતર્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તેને જોઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે.. જે નિષ્ઠુરતાથી ઉમેદવારોને ખસેડવામાં આવી રહ્યા, ઘસેડવામાં આવી રહ્યા છે  તે સવાલો કરે એમ છે. શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસ એવી રીતે ખસેડી રહી છે જાણે તે કોઈ આતંકવાદી હોય! 

ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે...  

ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને રાજ્યના યુવાનો કશુંક કહી રહ્યા છે.. યુવાનો જે કહી રહ્યા છે તેને સાંભળો..શાંતિથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, તેમને આશા હતી કે સરકાર તેમનો અવાજ સાંભળે પરંતુ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. અનેક વખત રજૂઆત કરી છતાંય સરકારના પેટનું પાણી પણ નથી હલતું.. પોતાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલનને લઈ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.. ઉમેદવારોની એટલી જ માગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેમની સાથે કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.



આવી રીતે તો ઉમેદવારો જોડે વર્તન ના જ થવું જોઈએ...!

આજે પણ જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત ટીંગાટોળી કરીને કરી હતી. મહિલા ઉમેદવારને પણ ખસેડવામાં આવી. જે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તે કદાચ કોઈને પણ સ્વીકાર્ય નથી. આવી રીતે જ્યારે દેશના ભાવિનું ઘડતર કરનારા શિક્ષકો સાથે વર્તન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. આપણે એવું કહીએ કે પોલીસની તાકાત માત્ર આવા સામાન્ય માણસો સામે ચાલે છે તો પણ ખોટા નથી. 


 

જ્યારે ઉમેદવારો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે.. 

પોલીસ આટલી આક્રામક તેવા લોકો સામે નથી દેખાઈ જે કાયદાનો ભંગ કરે છે. બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે, પોલીસ પર હુમલો કરે છે તેમની સામે પોલીસ હિંમત, દાદાગીરી નથી દેખાડતી.. પરંતુ પોલીસ દાદાગીરી પોતાના હક માટે, નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની સામે દેખાડી રહી છે.. મુખ્યમંત્રીને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ પરંતુ આ કેસમાં નથી તો મુખ્યમંત્રીની મૃદુતા દેખાતી નથી અને નથી નિર્ણયોમાં મક્કમતા દેખાતી. શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા નહીં આવે તો ક્યાં જશે? જે રીતના ઉમેદવારોને ઘસેડવામાં આવે છે તેને લઈ પોલીસને એક પ્રશ્ન કરવો છે કે શું પોલીસ વિરોધ કરવા આવેલા ઉમેદવારો આતંકવાદી છે? ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવજો..   



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.