Gandhinagar : વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, શિક્ષકોના બાબતે જોવા મળ્યું અમિત ચાવડા Vs અમિત ઠાકર!


  • Published By :
  • Published Date : 2024-02-08 12:48:55

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવા માટે પણ ઉમેદવારો ગાંધીનગર ગયા છે પરંતુ તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે તે આપણે જાણીએ છીએ. ત્યારે શિક્ષકોની ભરતી અંગનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.  

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની કરી આની સાથે તુલના! 

હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. 6 ફેબ્રુઆરીએ અમિત ચાવડાએ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે , જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી.  


અમિત ઠાકરે અમિત ચાવડા પર કર્યા પ્રહાર!  

ભાજપ ધારાસભય અમિત ઠાકરે અમિત ચાવડાને જવાબ આપી દીધો છે અને પલટવાર કરતાં કહી દીધું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે તેવું લાગી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.