Gandhinagar : વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, શિક્ષકોના બાબતે જોવા મળ્યું અમિત ચાવડા Vs અમિત ઠાકર!


  • Published By :
  • Published Date : 2024-02-08 12:48:55

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવા માટે પણ ઉમેદવારો ગાંધીનગર ગયા છે પરંતુ તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે તે આપણે જાણીએ છીએ. ત્યારે શિક્ષકોની ભરતી અંગનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.  

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની કરી આની સાથે તુલના! 

હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. 6 ફેબ્રુઆરીએ અમિત ચાવડાએ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે , જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી.  


અમિત ઠાકરે અમિત ચાવડા પર કર્યા પ્રહાર!  

ભાજપ ધારાસભય અમિત ઠાકરે અમિત ચાવડાને જવાબ આપી દીધો છે અને પલટવાર કરતાં કહી દીધું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે તેવું લાગી રહ્યું છે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .