Gandhinagar:TET-TAT પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં, કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો યુવરાજસિંહ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કરશે આંદોલન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-18 11:34:50

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરવાના છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો નથી હોતા. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની બદલીમાં કરાર આધારીત યોજના લઈ આવી. કરાર આધારીત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે. ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવામાં આવવાનું છે ઉમેદવારો દ્વારા.

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કરશે હલ્લાબોલ 

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. શિક્ષકો નહીં હોવાને કારણે દેશનું ભાવિ ખતરામાં દેખાઈ રહ્યું છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓને ભણતર નથી મળતું. શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે આજે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવાના છે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરવા માટે ગાંધીનગર જવાના છે. યુવરાજસિંહ જાડેજા તેમજ જિગ્નેશ મેવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય..



જિગ્નેશ મેવાણી તેમજ યુવરાજસિંહ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જેનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારીત નોકરીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી  ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 



અનેક વખત રજૂઆત કરવાનો ઉમેદવારોએ કર્યો છે પ્રયત્ન 

ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજે આંદોલન કરવામાં ઉમેદવારો સફળ થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.