Gandhinagar: સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો- સરકારી કર્મચારીઓનું આંદોલન, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓને લઈ સરકાર સામે નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2024-03-12 12:45:59

ગુજરાતના પાટનગરમાં આજે પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓેએ વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનના ભાગરૂપે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારી અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી આવી પહોંચ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને કર્મચારીઓએ લોલીપોપ ગણાવ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શિત કરવા માટે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. ભગવા વસ્ત્રો ધારણ કરી આંદોલન કરવા માટે શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા.

 



સરકારને આપી દીધું અલ્ટિમેટમ!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનૈતિક માહોલ ગરમાઈ રહ્યો છે. સરકાર પર પ્રેશર લાવવા માટે, સરકારને ઘેરવા માટે સરકારી કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આજે જૂની પેન્શન યોજના. ફિક્સ પગાર પ્રથા રદ્દ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ આવ્યા હતા. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આંદોલન માટે આવેલા કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેમના દ્વારા. અલગ અલગ રીતે પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. 



પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 

તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.