Gandhinagar GIFT City : Gujarat સરકારના નિર્ણયને લઈ આવી Isudan Gadhvi અને Shaktisinh Gohilની પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-23 12:18:53

ગુજરાતમાં ગઈકાલથી એક ચર્ચા થઈ રહી છે. સરકારે અચાનક લીધેલા નિર્ણયની. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી છે. 

આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય!

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરાકર દ્વારા ગાંધીનગરમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને લીકર પરમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFTસિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 

ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા 

આ નિર્ણય બાદ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ નિર્ણયને લઈ કોંગ્રેસના પ્રદેશ શક્તિસિંહ ગોહિલે વખોડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની પેરવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યતિત છું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ. કોઈ માણસ દારૂ પીને પકડાય અને કહી દે કે હું તો ગિફ્ટ સીટીમાંથી આવું છું એટલે છુટ... આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે.  


સરકારે આલોચના માટે તૈયાર રહેવું પડશે.! 

મહત્વનું છે કે આ નિર્ણય બાદ ગુજરાતીઓને જો દારૂ પીવો હશે તો બીજા રાજ્યોમાં નહીં જવું પડે. ગાંધીનગરમાં જ દારૂની વ્યવસ્થા મળી જશે. આ નિર્ણયને કારણે બુટલેગરોમાં ડર વ્યાપી ઉઠ્યો હશે તેવું લાગે છે! મહત્વનું છે આ નિર્ણય Practical છે પણ સરકારે આલોચના માટે પણ તૈયાર રહેવું પડશે કેમ કે પોતાના જ નેતાઓના ચૂંટણી સમયના જૂના નિવેદનો!, જેણે જેણે Practical થવાની વાત કરી એને ગાંધીના ગુજરાતના વિરોધી કહેલા છે એટલે રાજનીતિક બબાલોને બાજુ પર મૂકીએ અને દંભ બાજુએ મૂકીએ તો Global થવા માટે Global સ્વીકાર્યતા પણ જોઈએ એટલે નિર્ણય જરૂરી હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!